ઇસુ સાજાપણું આપે છે – તેમના રાજ્યને પ્રગટ કરે છે

વાનું દર્શાવ્યું. રાજસ્થાનના મહેંદીપુર નજીકનું બાલાજી મંદિર, દ્દ્રુષ્ટ આત્માઓ, શેતાનિક આત્માઓ, ભૂત, પ્રેત અથવા ભૂતો જેઓ લોકોને રંજાડે છે તેમાંથી તેઓને સાજા કરવા માટે પ્રખ્યાત છે. હનુમાન જી (બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાન) ને બાલા જી, અથવા બાલાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું બાલાજી મંદિર, દુષ્ટ આત્માથી પીડિત લોકો માટે તીર્થ અથવા તીર્થસ્થાન છે. દરરોજ, હજારો યાત્રાળુઓ, ભક્તો અને દ્દ્રુષ્ટ આત્માથી પીડીત લોકો આવા પ્રકારના શેતાનિક વળગાડમાંથી સાજા થવાની આશામાં આ તીર્થ-યાત્રામાં મંદિરની મુલાકાત લે છે. શેતાનિક અને ભૂતના વળગાડ, મુર્છિત થવું, દ્દ્રુષ્ટ આત્માઓને હાંકી કાઢવા આ બધું બાલાજી અથવા હનુમાન જી મંદિરમાં એક સામાન્ય બાબત છે અને તેથી મહેંદીપુર બાલાજીને તીર્થસ્થાન તરીકે માનવામાં આવે છે કે જ્યાં દ્દ્રુષ્ટ આત્માઓમાંથી છૂટકારો આપનાર શક્તિ કામ કરતી જોવા મળે છે.

દંતકથાઓ અલગ અલગ વિગત રજુ કરે છે પરંતુ તેવું કહેવામાં આવે છે કે હનુમાન તે સ્થાન પરની મુર્તિમાં સ્વયં પ્રગટ થાય છે, તેથી હનુમાન જીની યાદગીરીમાં ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. એવું નોંધવામાં આવ્યું છે કે શ્રી મહેંદીપુર બાલાજી મંદિર ખાતેના લોકો સમાધિમાં, હિપ્નોટિક અવસ્થામાં હોય છે અને છૂટકારાની રાહ જોતા દિવાલોથી પણ બંધાયેલા છે. મંગળવાર અને શનિવારે ભક્તો મોટી સંખ્યામાં આવે છે કારણ કે તે બાલાજીના દિવસો ગણાય છે. આરતી અથવા પૂજા દરમિયાન વળગાડ ધરાવતા લોકોની ચીસો સંભળાય છે, અને લોકો અગ્નિ સળગાવે છે અને તલ્લીન થઇને વિચિત્ર અવસ્થામાં નૃત્ય કરતા  જોઇ શકાય છે.

વેદ પુસ્તકનમાં ભૂત અને દુષ્ટ આત્માઓ

સમગ્ર ઇતિહાસમાં ખરેખર દુષ્ટ આત્માઓએ લોકોને પીડિત કર્યા છે. કેમ? તેઓ ક્યાંથી આવે છે?

વેદ પુસ્તકન (બાઇબલ) સમજાવે છે કે શેતાન, જેણે ઈસુનુ અરણ્યમાં પરિક્ષણ કર્યું હતું, તે ઘણા પતિત દૂતો પર નેતૃત્વ ધરાવે છે. પ્રથમ માણસે સર્પનું સાંભળ્યું ત્યારથી, આ દુષ્ટ આત્માઓ લોકોને રંજાડ અને બંધનમાં રાખી રહ્યા છે. જ્યારે પ્રથમ માનવોએ સર્પની વાત સાંભળી ત્યારે, સત્ય યુગ સમાપ્ત થઈ ગયો અને આપણે આત્માઓને આપણા પર નિયંત્રણ અને દમન કરવાનો અધિકાર આપ્યો.

ઈસુ અને ઈશ્વરનું રાજ્ય

ઈસુએ ઈશ્વરના રાજ્ય વિશે અધિકાર સાથે શીખવ્યું. તે બતાવે છે કે તેમના અધિકારની રૂએ તેમણે લોકોને પીડા આપતા દુષ્ટ આત્માઓ, શેતાનિક આત્માઓ અને ભૂતોને કાઢી નાખ્યા.

ઈસુ દુષ્ટ આત્માથી પીડિત લોકોને સાજા કરે છે

ઈસુએ ઘણા પ્રસંગોએ દુષ્ટ આત્માઓ અથવા ભૂતોનો સામનો કર્યો હતો. શિક્ષક તરીકે જાણીતા હોવા છતાં, તેમણે દુષ્ટ આત્માથી પીડિત લોકોને સાજા કર્યા તેની નોંધ સુવાર્તા પણ ઘણી વખત કરે છે. અહીં તેનો પ્રથમ સાજાપણાનો બનાવ છે:

21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો.
22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું.
23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી,
24 ‘નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!’
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, ‘શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!’
26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, ‘અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.’
28 તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી

ગયા.માર્ક ૧:૨૧-૨૮

પાછળથી સુવાર્તામાં એક સાજાપણાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે કે, જેમ મહેંદીપુર બાલાજી મંદિરમાં થતું હતુ તેમ, જ્યારે લોકોએ એક ભૂત વળગેલ માણસને સાંકળેથી બાંધવા કોશિશ કરી, પરંતુ તે સાંકળો તેને પકડી રાખી શકી નહીં. સુવાર્તા તેની આ રીતે નોંધ કરે છે

સુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો.
2 જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું.
3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી.
4 ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો.
5 રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
6 જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો.
7 ઈસુએ તે માણસને કહ્યું, ‘ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.’ તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, ‘ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!’
8
9 પછી ઈસુએ તે માણસને પૂછયું, ‘તારું નામ શું છે?’તે માણસે જવાબ આપ્યો, ‘મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.’
10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.
11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું.
12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, ‘અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.’
13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.
14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા.
15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા.
16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું.
17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.
18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી.
19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, ‘તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.’
20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ

પામ્યા.માર્ક ૫:૧-૨૦

જ્યાં ઈસુ માનવદેહમાં ઈશ્વર પુત્ર તરીકે, દેશભરમાં લોકોને સાજા કરતા ફર્યા. તેઓ જ્યાં ભૂત અને પ્રેતના રંજાડથી પીડીત લોકો રહેતા હતા ત્યાં ગયા, ને તેઓથી પરિચિત થયા, અને તેમણે બોલેલ પોતાના શબ્દના અધિકાર દ્વારા તેઓને સાજા કર્યા.

ઈસુ બીમાર લોકોને સાજા કરે છે

૧૭ માર્ચ, ૨૦૨૦ ના રોજ, કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે મહેંદીપુર બાલાજી મંદિર અનિશ્ચિત સમયગાળા માટે બંધ રહ્યું. દુષ્ટ આત્માઓથી સાજા થવા માટે પ્રખ્યાત હોવા છતાં, મહેંદીપુર બાલાજી ભક્તો આ નવા ચેપી રોગનો ભોગ બને છે. ઈસુએ, જોકે, લોકોને ફ઼ક્ત દુષ્ટ આત્માઓથી જ નહીં, પણ ચેપી રોગોથી પણ બચાવ્યા. આવો જ એક સાજાપણાનો બનાવ અહીં નોંધાયેલ છે:

40 એક માણસ કે જેને કોઢ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંટણ ટેકવીને ઈસુને વિનંતી કરી. ‘તું ઈચ્છે તો તું મને સાજો કરવા સમર્થ છે.’
41 ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, ‘હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!’
42 પછી માંદગી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.
43 ઈસુએ તે માણસને જવાનું કહ્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું,
44 ‘મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે’
45 તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં

આવ્યા.માર્ક ૧:૪૦-૪૫

ઈસુની સાજા કરવાની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ કે જેમ બાલાજી મંદિરમાં (જ્યારે તે ખુલ્લું હોય છે ત્યારે) લોકો પડાપડી કરે છે તેમ તેમની આસપાસ પણ લોકોના ટોળાની ભીડ ઉમટી પડતી.

38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી.
39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.
40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા.
41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત

છે.લુક ૪: ૩૮-૪૧

ઈસુ લંગડા, આંધળા, બહેરાને સાજા કરે છે

આજની જેમ, ઈસુના સમયમાં યાત્રાળુઓ રોગથી શુદ્ધ થવાની અને ઉપચારની આશામાં પવિત્ર તીર્થો પર પૂજા-અર્ચના કરતા. આપણે આવા સાજાપણાના નોંધાયેલા ઘણા બનાવોમાંથી બે બનાવો જોઈશું:

છળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો.
2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે.
3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા.
4
5 એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો.
6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7 તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8 પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.”
9 પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો.
10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.”‘
12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”

યોહાન ૫:૧-૧૫

27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.”
28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”
29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.”
30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.”
31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી.
32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો.
33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”

માથ્થી ૯:૨૭-૩૩

ઈસુ મરેલાને ઉઠાડે છે

ઈસુએ મૃત્યુ પામેલ લોકોને પણ સજીવન કર્યાના પ્રસંગો સુવાર્તાઓમાં નોંધાયેલ છે. અહીં એવો જ એક દાખલો નોંધ્યો છે

21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા.
22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો.
23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, ‘મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.’
24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.
25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો.
26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.
27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી.
28 તે સ્ત્રીએ વિચાર્યુ, ‘જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.’
29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે.
30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, ‘મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?’
31 શિષ્યોએ ઈસુને કહ્યું, ‘તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?”‘
32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું.
33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી.તેણે ઈસુને આખી વાત કહી.
34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, ‘તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.’
35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, ‘તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.’
36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, ‘ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.’
37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા.
38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી.
39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, ‘તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.’
40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા.
41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, ‘ટલિથા કૂમ!’ (આનો અર્થ, ‘નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.’)
42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા.
43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને ક

હ્યું.માર્ક ૫: ૨૧-૪૩

પેઢીઓથી એ સમયના લોકોમાં ભૂંડા આત્માઓ ખુબજ ઓછા પ્રમાણમાં દેખાતા અને પ્રગટ થતા હતા, જેને કારણે તે લોકો ભુતોના અસ્તિત્વને પણ નકારતા હતા અને તેવા પ્રદેશમાં ઇસુના સાજાપણાના કામોનો ખુબ મોટો પ્રભાવ હતો કે જેથી તેઓ ત્યાં ખૂબજ પ્રખ્યાત બન્યા.

સ્વર્ગના રાજ્યનો પૂર્વ આસ્વાદ

ઈસુએ દુષ્ટ આત્માઓને કાઢ્યા, માંદા લોકોને સાજા કર્યા અને મ્રુત્યુ પામેલા ને સજીવન કર્યા, તેઓએ લોકોને ફ઼ક્ત મદદ કરવા માટે જ આમ કર્યું એમ નહીં, પણ તેમણે જે રાજ્ય વિષે શીખવ્યું હતું તે રાજ્ય કેવું છે તે બતાવવા માટે કર્યું. આ આવનાર રાજ્ય માં

4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”

પ્રકટીકરણ ૨૧: ૪

સાજાપણાના બનાવો તે આવનાર રાજ્યનો પૂર્વ આસ્વાદ હતો, જેથી આપણે ‘વસ્તુઓની જૂની વ્યવસ્થા’ ઉપરનો વિજય કેવો હશે તે જોઇ શકીએ, તે કઇંક આવો હશે.

શું તમને આવી ‘નવી વ્યવસ્થા’ ના રાજ્યમાં રહેવાનું ગમશે નહી?

આજ રીતે ઈસુએ કુદરતી તત્વો પર પોતાનું આધિપત્ય સ્થાપીને તેમના રાજ્યને જાહેર કરવાનું ચાલુ રાખ્યું – તેઓએ પોતે તેમના દેહધારીપણામાં ઓમ હો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *