કેવી રીતે ઈસુએ આશ્રમોને પોતાના કર્યા

.એક ધાર્મિક જીવન ચાર આશ્રમ (આશ્રમો) માં વહેંચાયેલા છે. આશ્રમ/આશ્રમો એ   એક જીવનના તબક્કા માટે લક્ષ્યો, યોગદાન અને યોગ્ય પ્રવૃત્તિઓ નક્કી કરે છે. આ જીવનના તબક્કાઓની વહેંચણી, આશ્રમ ધર્મ માં, શરીર, મન અને ભાવનાઓને ચાર પ્રગતિશીલ તબક્કાઓમાંથી પસાર કરી દે છે. તે સહસ્ત્રાબ્દીઓ પહેલાં વિકસિત થયું હતું અને ધર્મશાસ્ત્ર તરીકે ઓળખાતા ધર્મગ્રંથોમાં વિગતવાર વર્ણવવામાં આવ્યું છે કે આપણે જેમ જુવાનીથી, પુખ્ત વય, અને વૃદ્ધાવસ્થા સુધી પ્રગતિ કરીએ છીએ ત્યારે આપણે અલગ અલગ ફ઼રજો બજાવવાની હોય છે.

ઈસુ,  સર્વોચ્ચ ઈશ્વરના અવતાર તરીકે તેમના જન્મ પછી, તેમણે તરત જ આશ્રમ ધર્મની શરૂઆત કરી. તેમણે આવું કર્યું તે આપણા આશ્રમ જીવનને માટે યોગ્ય રીતે જીવવા માટે તેનું અનુસરણ કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે. આપણે બ્રહ્મચર્યથી પ્રારંભ કરીએ છીએ, જ્યાં આપણને ઉપનયન અને વિદ્યારંભ સંસ્કાર જેવા લક્ષ્યો મળે છે.

એક બ્રહ્મચારીના રુપમાં ઈસુ

વિદ્યાર્થી આશ્રમમાં, બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. આ સમયગાળામાં, તેઓ  વિદ્યાર્થી તરીકે બ્રહ્મચર્ય પાળે છે અને પોતાની જાતને ભાવિ સેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરી તૈયાર થાય છે, જે પછીના આશ્રમ માટે આવશ્યક બને છે. ઈસુએ આજનાં ઉપનયન જેવું જ એક હીબ્રુ પ્રવેશ સંસ્કાર દ્વારા બ્રહ્મચર્યમાં પ્રવેશ કર્યો, જો કે તે કંઈક અલગ પ્રકારનો હતો. સુવાર્તામાં તેના ઉપનયનને આ રીતે નોંધવામાં આવે છે.

ઈસુનો ઉપનયન સંસ્કાર

૨૨.મૂસાના નિયમશાસ્‍ત્ર પ્રમાણે તેઓના શુદ્ધીકરણના દિવસ પૂરા થયા, 

૨૩.ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્‍ત્રમાં લખેલું છે કે, ‘પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય.’ તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને, 

૨૪.તથા પ્રભુના નિયમશાસ્‍ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા માટે, તેઓ તેને યરુશાલેમ લાવ્યાં. 

૨૫.ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 

૨૬.પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.” 

૨૭. તે આત્મા [ની પ્રેરણા] થી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્‍ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેનાં માબાપ તેને અંદર લાવ્યાં. 

૨૮.ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું,

૨૯.“ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો છો;

     ૩૦.કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે,

     ૩૧.જેને સર્વ લોકો ની સંમુખ તમે તૈયાર કર્યું છે;

૩૨. વિદેશીઓને પ્રકાશ આપવા માટે,તથા તમારા ઇઝરાયલી લોકોનો

મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે.

૩૩.છોકરા સંબંધી જે વાતો કહેવામાં આવી હતી, તેથી તેનાં માબાપ આશ્ચર્ય પામ્યાં. 

૩૪.શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે. 

૩૫. હા, અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં   [માણસોનાં] મનની કલ્પના પ્રગટ થાય.” 

૩૬. આશેરનાં કુળની, ફનુએલની દીકરી, હાન્‍ના નામે, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે સાત વરસ સુધી રહી હતી. 

૩૭. તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ   ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. ૩૮. તેણે તે ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરુશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી.

૩૯.પ્રભુના નિયમશાસ્‍ત્ર પ્રમાણે બધું કરી‍ ચૂક્યા પછી  તેઓ ગાલીલમાં પોતાને શહેર નાઝરેથ પાછાં ગયાં.

૪૦. તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો. અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

લુક ૨: ૨૨-૪૦

કેટલાક ઉપનયન સંસ્કારમાં મંદિરમાં બકરીનો બલિ ચડાવવામાં આવે છે. હિબ્રુ ઉપનયન સંસ્કારમાં પણ આ સામાન્ય હતું, પરંતુ મૂસાના નિયમશાસ્ત્ર માં ગરીબ પરીવારોને બકરીને બદલે કબૂતર ચડાવવાની મંજૂરી મળી હતી. આપણે જોઈએ છીએ કે ઈસુ ગરીબાઇમાં ઉછરેલા હતા તેથી તેમના માતાપિતા ને બકરી પોસાતી ન હોવાથી તેઓએ તેના બદલે કબૂતર અર્પણ કર્યું હતું.

શિમયોન, એક પવિત્ર ૠષિએ ભવિષ્યવાણી કરી કે ઈસુ ‘સર્વ દેશોને’ જેનો અર્થ બધા ભાષા જૂથો થાય છે, તેઓને માટે ‘મુક્તિ’, અને ’પ્રકાશ’ બનશે. જેથી ઈસુ તમારા માટે અને મારા માટે ‘મુક્તિ’લાવનાર એક ‘પ્રકાશ’ છે, કારણ કે આપણે વિશ્વના કોઈ એક ભાષા જૂથના છીએ. આપણે પછીથી જોઈશું કે ઈસુ આ કેવી રીતે કરે છે.

પરંતુ આ ભૂમિકાને પરિપૂર્ણ કરવા ઈસુને જ જ્ઞાન અને અક્ષરવિદ્યામાં દીક્ષા લેવાની જરૂર હતી. પણ તેમના જીવનમાં આ વિદ્યારંભ પ્રવેશ ક્યારે થયો તેનો ઉલ્લેખ નથી. પરંતુ તેમના પરિવારે જ જ્ઞાન, અક્ષરવિદ્યા અને શિક્ષણ ને મહત્ત્વ આપીને  તેના પર ભાર મૂક્યો હતો તે સ્પષ્ટ છે, કારણ કે તેઓ જ્યારે ૧૨- વર્ષના હતા ત્યારે તેમના જ્ઞાનના સ્તરની સમજ આપતી એક વાત રજુ કરવામાં આવેલ છે. અહીં તેની નોંધ છે:

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા.
42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા.
43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા.
44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા.
45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો.
47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા.
48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!”
50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી.

લુક ૨: ૪૧-૫૧

હીબ્રુ વેદોની પરિપૂર્ણતા

ઈસુનું બાળપણ અને તેમનો વિકાસ, તેમની પછીની સેવા માટેની તૈયારી રુપે હતો જે વીશે ઋષિ યશાયા દ્વારા લખવામાં આવ્યું હતું, તેમણે લખ્યું હતું કે:

ઐતિહાસિક સમયરેખામાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ(પ્રબોધકો)

૧.પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે  ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.

  ૬.કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની  ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર,” એ નામ આપવામાં આવશે.

યશાયા ૯: ૧,૬

ઈસુનો સ્નાન સંસ્કાર

બ્રહ્મચર્યની પૂર્ણાહુતિ ઘણીવાર સ્નાન અથવા સમવર્તન દ્વારા ઉજવવામાં આવે છે. આ સામાન્ય રીતે શિક્ષકો અને અતિથિઓની હાજરીમાં ધાર્મિક સ્નાન દ્વારા ચિહ્નિત થયેલ હોય છે. ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા સમવર્તનની ઉજવણી કરી, કે જે લોકોને એક વિધિ કે જે બાપ્તિસ્મા કહેવાય છે કે જેમાં નદીમાં સ્નાન કરાવવામાં આવે છે તે કરાવતા હતા. માર્કની સુવાર્તા (બાઇબલની ચાર સુવાર્તામાંથી એક) ઈસુના સ્નાન સંસ્કારથી શરૂ થાય છે:

વના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ.
2 યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે: ‘ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ. તે તારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
3 ‘ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.”
4 તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે.
5 યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: ‘મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી.
8 મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.
9 તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ.
10 જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો.

માર્ક ૧:૧-૧૦

એક ગૃહસ્થી તરીકે ઈસુ

સામાન્ય રીતે ગૃહસ્થ, અથવા ઘરધણી આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમને અનુસરે છે, જોકે કેટલાક તપસ્વીઓ ગૃહસ્થ આશ્રમને પડતું મુકી ને સીધા સંન્યાસ (ત્યાગ) પર જાય છે. ઈસુએ બંનેમાંથી એક પણ ન કર્યું. ઉધ્ધારના તેમના અજોડ મિશનને કારણે તેમણે ગૃહસ્થને છેલ્લે લેવાને માટે મુલતવી રાખ્યું. પાછળથી ગૃહસ્થ આશ્રમમાં તેઓ પોતાને માટે કન્યા અને બાળકો લેશે, પરંતુ તે એક અલગ પ્રકારે હશે. શારીરિક લગ્નો અને બાળકો તેમના રહસ્યવાદી લગ્ન અને કુટુંબને માટે પ્રતીકરુપ છે. જેમકે બાઇબલ તેમની કન્યા વિશે સમજાવે છે:

૭. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાન ના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યા એ પોતાને તૈયાર કરી છે.

પ્રકટીકરણ ૧૯:૭

ઈબ્રાહીમ અને મૂસા ને માટે ઈસુ હલવાન’  કહેવાયા. આ હલવાન કન્યા સાથે લગ્ન કરશે, પરંતુ જ્યારે તેમણે બ્રહ્મચર્ય પૂર્ણ કર્યું ત્યારે તે કન્યા તૈયાર નહોતી. હકીકતમાં, તેમના જીવન મિશનની તેમણે તૈયારી કરવાની હતી. કેટલાક એવું અનુમાન કરે છે કે ઈસુએ ગૃહસ્થને મોકૂફ રાખ્યો હોવાથી તે લગ્નની વિરુદ્ધ હતા. પરંતુ સંન્યાસી તરીકે તેમણે પ્રથમ પ્રવૃત્તિ કે જેમાં ભાગ લીધો તે એક લગ્ન હતાં.

એક વાનપ્રસ્થી તરીકે ઈસુ

બાળકોને મેળવવા માટે તેમણે પ્રથમ આ કરવું પડ્યું:

10.કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં [ઉત્પન્‍ન] થયાં છે, તેમને એ ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.

હિબ્રૂ ૨: ૧૦

 ‘તેઓના મુક્તિના પ્રણેતા’તરીકે ઇસુ સંબંધી વાત કરે છે, અને બાળકો પહેલાં તેમણે પ્રથમ ‘વેદના ’માંથી પસાર થવું પડ્યું હતું. તેથી, તેમના બાપ્તિસ્માના સ્નાન પછી તે સીધા વાનપ્રસ્થમાં (વનવાસી) ગય઼ા, જ્યાં તેઓ અરણ્યમાં પરિક્ષણ દ્વારા દુ:ખ સહન કરતા હતા, તેની વિગતો અહિંયા છે.

એક સંન્યાસી તરીકે ઈસુ

વાનપ્રસ્થ પછી તરત જ, ઈસુએ અરણ્યમાં તમામ દુન્યવી સંબંધોનો ત્યાગ કર્યો અને ફ઼રતા શિક્ષક તરીકે પોતાનું જીવન શરૂ કર્યું. ઈસુનો સંન્યાસ આશ્રમ સૌથી જાણીતો છે. સુવાર્તાઓ તેમના સંન્યાસનું વર્ણન આ પ્રમાણે કરે છે:

23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાંઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 

માથ્થી ૪:૨૩

આ સમય દરમિયાન,  તેઓએ પોતાના હીબ્રુ/યહૂદી લોકોની બહાર પણ મોટે ભાગે એક ગામથી બીજા ગામની મુસાફરી કરી. તેમણે તેમના સંન્યાસના જીવનનું વર્ણન આ પ્રમાણે કર્યું:

18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું.
19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યંુ કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાનેમાથું ટેકવાની પણ જગા નથી.”

માથ્થી ૮:૧૮-૨૦

તે, એક માણસનો દીકરો હતા, કે જેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી, અને જે લોકો તેમની પાછળ આવતા તેઓને માટે પણ એવી જ અપેક્ષા રાખવામાં આવતી હતી. સુવાર્તાઓ તે પણ સમજાવે છે કે સંન્યાસ જીવનમાં તેમને કેવી રીતે આર્થિક સહાયતા કરવામાં આવતી હતી

જા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા.
2 તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં.
3 આ સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે

કરતી.લુક ૮: ૧-૩

સંન્યાસીને સામાન્ય રીતે ફક્ત એક જ લાકડી સાથે ભટકતા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે ઈસુએ તેમના શિષ્યોને તેમના અનુસરણ માટે માર્ગદર્શન આપતા હતા ત્યારે આ શીખવ્યું. આ તેમની સૂચનાઓ હતી:

6 ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો.
7 ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો.
8 ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: ‘તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.
9 જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો.
10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો.

માર્ક ૬: ૬-૧૦

ઈસુનો સંન્યાસ આશ્રમ ઇતિહાસમાં એક નવો વળાંક હતો. આ સમયગાળામાં તેઓ ગુરુ બન્યા, જેમના ઉપદેશોએ વિશ્વને પ્રભાવિત કર્યા, ઘણા શક્તિશાળી લોકો (જેમ કે મહાત્મા ગાંધી), અને તમને, મને અને બધા લોકોને સ્પષ્ટતા આપતા આંતરપ્રેરણા આપે છે. આપણે જીવન માટેનું માર્ગદર્શન, શિક્ષણ અને જીવનની ભેટ પામીએ છીએ, જેમાં પછીથી તેમના સંન્યાસ આશ્રમ દરમ્યાન તેમણે સૌને આપેલું છે, પરંતુ પ્રથમ આપણે યોહાનના ઉપદેશને જોઈએ છીએ (કે જેઓ સ્નાન સંસ્કાર આપતા હતા).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *