જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ,

        “ હું અનુમાન કરું છું કે તેમનુ છેલ્લુ નામ ’ખ્રિસ્ત’ હશે પણ મને ખાતરી નથી”.

પછી મેં પુછ્યું,

             “કે જ્યારે ઈસુ એક છોકરો હતો ત્યારે શું યુસફ ખ્રિસ્ત અને મરિયમ ખ્રિસ્ત નાના ઇસુ ખ્રિસ્તને બજારમાં લઈ ગયા હતા?”

 હવે તે રીતે, તેઓને ખ્યાલ આવે છે કે ‘ખ્રિસ્ત’  એ ઈસુનું’ કુટુંબનું નામ નથી. તો, ‘ખ્રિસ્ત’ એટલે શું? તે ક્યાંથી આવે છે? તેનો અર્થ શું થાય છે?  ઘણાના આશ્ચર્ય વચ્ચે, ‘ખ્રિસ્ત’ એ એક શીર્ષક છે જેનો અર્થ છે ‘શાસક’ અથવા ‘શાસન’., જેમ આઝાદી પહેલાં ભારત પર ’શાસન’, કરનારા બ્રિટીશ રાજની જેમ તે રાજા શીર્ષક અલગ નથી.

અનુવાદ વિરુધ્ધ લિપ્યંતર

આપણે પહેલા અનુવાદની કેટલીક મૂળભૂત બાબતોને સમજવી જોઈએ. અનુવાદકો કેટલીકવાર અર્થ, ખાસ નામો અને શીર્ષકોની જગ્યાએ સમાન ઉચ્ચાર પ્રમાણે ભાષાંતર કરવાનું પસંદ કરે છે. આ લિપ્યંતરણ, તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, “Kumbh Mela” એ હિન્દી कुंभ मेला નું અંગ્રેજી લખાણ છે. मेला નો અર્થ ‘મેળો’  અથવા ‘ઉત્સવ  હોવા છતાં તે અંગ્રેજીમાં Kumbh Fair કરતાં Kumbh Mela જેવા ઉચ્ચારથી બોલવામાં આવે છે. “Raj” એ હિન્દી “राज” નું અંગ્રેજી ભાષાનું લિપિકરણ છે. જો કે राज નો અર્થ ‘શાસન’ છે  તે અંગ્રેજીમાં “British Rule” ને બદલે “બ્રિટીશ રાજ” તરીકે બોલવામાં આવે છે. વેદ પુસ્તક (બાઇબલ) સાથે, અનુવાદકોએ નક્કી કરવાનું હતું કે કયા નામ અને શીર્ષકનું ભાષાંતર(અર્થસભર) કરવું અને કયા લિપ્યંતર (ઉચ્ચારથી) કરવું. કોઈ ચોક્કસ નિયમ નથી.

સપ્તમી અનુવાદ

બાઇબલનો પ્રથમ અનુવાદ ૨૫૦ ઇ.સ.પૂર્વે  માં કરવામાં આવ્યો હતો જ્યારે હીબ્રુ વેદ (જૂનો કરાર) નો ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યો હતો – તે, તે સમયે આંતરરાષ્ટ્રીય ભાષા હતી. આ અનુવાદ સપ્તમી (અથવા LXX) તરીકે ઓળખાય છે અને તે ખૂબજ અસરકારક હતું. જો કે નવો કરાર ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો હોવાથી, જૂના કરાર ના તેના ઘણા અવતરણો સપ્તમીમાંથી લેવામાં આવ્યા છે.

સપ્તમીમાં ભાષાંતર અને લિપ્યંતર

નીચની આક્રુતિ તે પ્રક્રિયાને દર્શાવે છે અને તે આધુનિક દિવસમાં પ્રકાશિત થતા બાઇબલોને કેવી અસર કરે છે તે રજુ કરે છે.

મુળ ભાષાઓમાંથી વર્તમાન સમયની ભાષાઓમાં થયેલ ભાષાંતરનો પ્રવાહ

મૂળ હીબ્રુ જુનો કરાર (૧૫૦૦ – ૪00 બી.સી. દરમ્યાન લખાયલો છે) જે ચતુર્ભુજ   # ૧ માં બતાવવામાં આવ્યું છે. કારણ કે સપ્તમી અનુવાદ ઇ.સ.પુર્વે ૨૫૦ હીબ્રુમાંથી – ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ હતો કે જે તીર નીશાની દ્વારા ચતુર્ભુજમાં #૧ માંથી #૨ તરફ઼ જતું દર્શાવવામાં આવેલ છે. ગ્રીક નવો કરાર(ઇ. સ ૫0-૯0.) માં લખાયેલો હતો, તેથી # ૨ માં જુનો અને નવો બંને સામેલ છે. નીચેના અર્ધ ભાગમાં (# ૩) એ બાઇબલનો આધુનિક ભાષામાં ભાષાંતર છે. જુનો કરાર (હીબ્રુ વેદ) તે મૂળ હીબ્રુ ભાષા (૧ –> ૩) માંથી અને નવો કરાર ગ્રીક ભાષા (૨ –> ૩) માંથી અનુવાદિત કરવામાં આવેલ છે. અગાઉ સમજાવ્યા મુજબ અનુવાદકોએ નામ અને શીર્ષક સંબંધી નક્કી કરવાનું હોય છે. આ વાદળી તીરના લેબલથી દર્શાવવામાં આવેલ છે. લિપ્યંતર અને ભાષાંતર, સાથે બતાવ્યા પ્રમાણે અનુવાદકોએ ક્યો અભિગમ અપનાવવો તેનું દીશાસુચન કરવામાં આવેલ છે.

‘ખ્રિસ્ત’ નું મુળ

હવે ઉપર મુજબની પ્રક્રિયાને અનુસરો, ‘ખ્રિસ્ત’  શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

બાઇબલમાં  ‘ખ્રિસ્ત’ ક્યાંથી આવે છે?

હીબ્રુ જુના કરારમાં શીર્ષક ‘מָשִׁיחַ (મશિયાખ) છે જેનો અર્થ છે ‘અભિષિક્ત અથવા પવિત્ર વ્યક્તિ’   જેમ કે રાજા અથવા શાસક હોય. તે સમયના હીબ્રુ રાજાઓ રાજા બનતા પહેલા તેઓનો અભિષેક કરવામાં આવતો (તેઓને વિધિવત રીતે તેલથી માલીશ કરવામાં આવતા) આમ તેઓ અભિષિક્ત ગણાતા અથવા મશિયાખ હતા. પછી તેઓ શાસકો બનતા, પરંતુ તેમનું શાસન સ્વર્ગીય ઇશ્વરના શાસનના નિયમોને આધીન રહેતું. અને તે અર્થમાં જુના કરારના હીબ્રુ રાજાઓ એક વિશેષ રાજા જેવા હતા. એક રાજાએ દક્ષિણ એશિયાના બ્રિટીશ પ્રદેશો પર શાસન કર્યું, પરંતુ બ્રિટીશ સરકારની આધિનતા હેઠળ, તેમના કાયદાઓને આધિન રહીને.

જુના કરારમાં એક ચોક્કસ મશિયાખના આવવાની ભવિષ્યવાણી કરાઇ હતી (એક ચોક્કસ ’ધ’ આર્ટીકલ  સાથે), જે એક અજોડ રાજા હશે. જ્યારે ઇ.સ. પૂર્વે ૨૫૦ માં સપ્તમી તરજુમો કરવામાં આવ્યો, ત્યારે અનુવાદકોએ ગ્રીક ભાષામાં સમાન અર્થ ધરાવતો એક શબ્દ પસંદ કર્યો હતો તે, Χριστός (જેનો ઉચ્ચાર ક્રિસ્ટોસ  જેવા છે), જે chrio શબ્દ પર આધારિત હતો, જેનો અર્થ વિધિવત રીતે તેલથી માલીશ કરવી થાય છે. તેથી હીબ્રુ ‘મશિયાખ’ નું ભાષાંતર સપ્તમી તરજુમામાં Χριστός કરવામાં આવ્યું છે, તે તેના અર્થ પ્રમાણે કરવામાં આવ્યું છે અને (નહી કે તેના ઉચ્ચાર પ્રમાણે લિપ્યંતર) કરવામાં આવ્યું હોય. નવા કરારના લેખકોએ ઈસુને આ ભવિષ્યવાણીમાં રજુ કરાયેલ ‘મશિયાખ’ ને માટે ક્રિસ્ટોસ શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું.

યુરોપિયન ભાષાઓ માટે, સમાન અર્થ સાથે કોઈ સ્પષ્ટ શબ્દ નહોતો તેથી નવા કરારનો ગ્રીક ‘ક્રિસ્ટોસ’ ને લિપ્યંતર કરીને ‘ખ્રિસ્ત’  શબ્દ જાળવી રાખ્યો. ‘ખ્રિસ્ત’ શબ્દ જુના કરારના મૂળ શબ્દ સાથેનું એક ખૂબ જ વિશિષ્ટ શીર્ષક છે, કે જે હીબ્રુથી ગ્રીકમાં અનુવાદ કરીને અને પછી ગ્રીકથી આધુનિક લિપ્યંતરણ લખાણોમાં લખાયેલ છે. જુના કરારનો હીબ્રુમાંથી આધુનિક ભાષાઓમાં સીધો અનુવાદ કરવામાં આવેલ છે અને મૂળ હીબ્રુ ‘મશિયાખ’  સંબંધિત અનુવાદકોએ જુદી જુદી પસંદગીઓ કરેલી છે. કેટલાક બાઇબલ લિપ્યંતરણમાં ‘મસિઆખ’   ને બદલે ‘મસીહા’ શબ્દનો ઉપયોગ કરેલ છે, અને બીજા કેટલાએક તેનો અર્થનુવાદ કરતાં  ‘અભિષિક્ત’ શબ્દનો ઉપયોગ પણ કરે છે.  ખ્રિસ્ત માટેનો એક હિન્દી શબ્દ (મસિહ) તે અરબી ભાષામાંથી લિપ્યંતરીત થયેલ છે, કે જે મૂળ હીબ્રુમાંથી લિપ્યંતરીત કરવામાં આવ્યો હતો. તેથી તેનું ઉચ્ચારણ ‘મસીહ’  મૂળ શબ્દની નજીકનો શબ્દ છે.

ગ્રીક સપ્તમી તરજુમામાં હિબ્રુ શબ્દ מָשִׁיחַ (માસા, મસિહા) નો અનુવાદ “ક્રિસ્ટોસ” તરીકે થાય છે. આજ શબ્દ બદલામાં અંગ્રેજીમાં ‘ક્રાઇસ્ટ’ તરીકે અનુવાદિત થાય છે અને તે ‘ક્રેઇસ્ટ’ જેવો લાગે છે. ક્રાઇસ્ટ  માટેનો ગુજરાતી શબ્દ ગ્રીક શબ્દ “ક્રિસ્ટોઝ” માંથી લિવ્યંતરણ છે અને તેથી તેને ખ્રિસ્ત (krisṭ) તરીકે ઉચ્ચારવામાં આવે છે.

કારણ કે આપણે સામાન્ય રીતે જુના કરારમાં ‘ક્રાઇસ્ટ’ શબ્દ જોતા નથી, તેથી તેનું જુના કરાર સાથેનું જોડાણ હંમેશાં સ્પષ્ટ હોતું નથી. પરંતુ આ અધ્યયનથી આપણે જાણીએ છીએ કે ‘ક્રાઇસ્ટ’= ‘મસીહા’= ‘અભિષિક્ત  અને તે એક વિશિષ્ટ શીર્ષક હતું.

પહેલી સદીમાં ખ્રિસ્તની અપેક્ષા

ચાલો હવે સુવાર્તાઓમાંથી કેટલાક નિરીક્ષણો કરીએ. જ્યારે માગીઓ યહુદીઓના રાજાની શોધમાં હેરોદ રાજાની પાસે આવ્યા ત્યારે તેણે નીચે મુજબ પ્રતિક્રિયા આપી, તે નાતાલની વાર્તાનો એક ભાગ છે. નોંધ કરીએ કે, ખ્રિસ્ત પહેલાં ’ધી’ આવે છે, જો કે તે ખાસ રીતે ઈસુ વિશે ઉલ્લેખ ન કરતો હોય તો પણ.

યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા.
હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.

માથ્થી ૨: ૩-૪

તમે જુઓ છો કે હેરોદ અને તેના સલાહકારો વચ્ચે ‘એક ખ્રિસ્ત’ નો વિચાર સારી રીતે સમજાયો હતો – અને અહીં ખાસ ઈસુનો સંદર્ભ નથી. આ બતાવે છે કે ‘ખ્રિસ્ત’  જુના કરારથી આવેલો છે, જે સામાન્ય રીતે પહેલી સદીના લોકો (હેરોદ અને તેના સલાહકારોની જેમ) ગ્રીક સપ્તમી તરજુમામાંથી વાંચે છે. ‘ખ્રિસ્ત’ એ એક શીર્ષક હતું, (અને છે) નામ નથી, તે શાસક અથવા રાજાને સૂચવે છે. આથી જ હેરોદને ‘ખલેલ’  પડી કારણ કે તેને બીજા રાજાની સંભાવના હોવાનો ભય હતો. આપણે ‘ખ્રિસ્ત’  એક ખ્રિસ્તી શોધ હતી એવી માન્યતાને નકારી શકીએ. આ ખિતાબ સેંકડો વર્ષો પહેલા ઉપયોગમાં હતું જ્યારે કોઈ ખ્રિસ્તીઓ નહોતા.

ખ્રિસ્તના અધિકારનો વિરોધાભાસ

ઈસુના પ્રારંભિક અનુયાયીઓને ખાતરી થઈ ગઈ કે ઈસુ જ આવનાર ખ્રિસ્ત જેના વીશે હીબ્રૂ વેદમાં ભવિષ્યવાણી કરેલ છે તે જ છે, જ્યારે અન્ય લોકોએ આ માન્યતાનો વિરોધ કર્યો હતો.

 કેમ?

તેનો જવાબ પ્રેમ અથવા સામર્થ્ય આધારીત શાસન વિશેના વિરોધાભાસના ઊંડાણમાં જાય છે. રાજાને બ્રિટીશ તાજ હેઠળ ભારત પર રાજ કરવાનો અધિકાર હતો. પરંતુ તેને ભારતમાં શાસન કરવાનો અધિકાર મળ્યો કારણ કે રાજાએ સૌ પ્રથમ લશ્કરી તાકાત હાંસલ કરી અને તેની તાકાત દ્વારા બાહ્ય દબાણને અમલમાં મૂક્યું હતું. લોકો રાજાને ઇચ્છતા ન હતા અને ગાંધી જેવા નેતાઓ દ્વારા આખરે રાજ્યને ખતમ કરવામાં આવ્યું. 

ઈસુ એક ખ્રિસ્ત તરીકે જો કે તેની પાસે અધિકાર હોવા છતાં, હકુમતની માંગણી કરવા ન આવ્યા. તેઓ પ્રેમ અથવા ભક્તિના આધારે શાશ્વત રાજ્ય સ્થાપવા માટે આવ્યા હતા, અને આ બાબત માટે તે જરૂરી હતું કે એક બાજુ સત્તા અને અધિકાર વચ્ચેનો બીજી બાજુ પ્રેમને મળવા દ્વારા વિરોધાભાસ સર્જાય. ‘ખ્રિસ્ત’ ના આગમનને સમજવામાં મદદ કરવા માટે હીબ્રુ પ્રબોધકોએ આ વિરોધાભાસની સમજ પ્રગટ કરી. અમે તેઓની આંતરદૃષ્ટિને કે જે હીબ્રુ વેદમાં ‘હીબ્રુ રાજા દાઉદ દ્વારા આશરે ઇ.સ.પૂર્વે ૧૦૦૦માં પ્રથમ વાર  ખ્રિસ્ત’ને રજુ કરવામાં આવ્યા હતા તેને અનુસરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *