વર્ણથી અવર્ણ માટે: સર્વ લોકોને માટે એક વ્યક્તિ આવે છે

વેદોએ અગાઉથી પુરૂષાસુક્તાની શરૂઆતમાં ઋગ્વેદમાં આવનાર માણસ માટે ભવિષ્ય ભાખ્યું હતું. પછી  હિબ્રુ વેદમાં આગળ જોવાનું ચાલુ રાખ્યું,  તે સૂચવે છે કે બંને સંસ્કૃત અને હીબ્રુ વેદ(બાયબલ) યેશુઆ સત્સંગ (નાઝરેથના ઈસુ) દ્વારા પરીપૂર્ણ થયા છે.

તો શું ઈસુ આ ભવિષ્યકથન મુજબના પુરુષ અથવા ખ્રિસ્ત હતા? શું તે ફક્ત અમુક પ્રજાજૂથ માટે જ હતા, કે પછી સર્વ માટે – વર્ણથી અવર્ણા સુધી બધી જાતિઓ માટે પણ હતા?

પુરૂષાસુક્તામાં જાતિ (વર્ણ)

પુરૂષાસુક્તાએ પુરૂષા માટે કહ્યું કે:

પુરુષાસુકતા પદ ૧‍૧-૧૨ -સંસ્કૃતસંસ્કૃત લિપીયાંનતરભાષાન્તર
यत पुरुषं वयदधुः कतिधा वयकल्पयन |
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ||
बराह्मणो.अस्य मुखमासीद बाहू राजन्यः कर्तः |
ऊरूतदस्य यद वैश्यः पद्भ्यां शूद्रो अजायत ||
11 yat puruṣaṃ vyadadhuḥ katidhā vyakalpayan |
mukhaṃ kimasya kau bāhū kā ūrū pādā ucyete ||
12 brāhmaṇo.asya mukhamāsīd bāhū rājanyaḥ kṛtaḥ |
ūrūtadasya yad vaiśyaḥ padbhyāṃ śūdro ajāyata
11 જ્યારે તેઓએ પુરૂષાના વિભાગ પાડ્યો ત્યારે તેમણે કેટલા ભાગ બનાવ્યા? તેઓ તેના મોં, તેના હાથને શું કહે છે? તેઓ તેના જાંઘ અને પગને શું કહે છે? 12 બ્રાહ્મણ તેનું મોં હતું, તેના બંને હાથમાંથી બનાવેલા રાજન્ય હતા. તેની જાંઘ વૈશ્ય બની, તેના પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા.

સંસ્કૃત વેદોમાં જાતિ અથવા વર્ણનો આ સૌથી પ્રાચીન ઉલ્લેખ છે. તે ચાર જાતિઓને પુરૂષાના શરીરમાંથી જુદા પાડતા વર્ણવે છે: તેના મુખમાંથી બ્રાહ્મણ જાતિ/વર્ણ, તેના હાથથી રાજન્ય (આજે ક્ષત્રિય જાતિ/વર્ણ તરીકે ઓળખાય છે), જાંગમાંથી વૈશ્ય જાતિ/વર્ણ અને તેના પગમાંથી શૂદ્ર જાતિ. ઈસુ એક પુરૂષા બનવા દ્વારા તેમણે દરેકનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.

શું તે કરે છે?

ઈસુ બ્રાહ્મણ અને ક્ષત્રિય તરીકે

આપણે જોયું કે ‘ખ્રિસ્ત’એ પ્રાચીન હીબ્રુ શીર્ષક છે જેનો અર્થ ‘શાસક’થાય છે – શાસકોના શાસક. ‘ખ્રિસ્ત’તરીકે, ઈસુ ક્ષત્રિય સાથે સંપૂર્ણ રીતે ઓળખે પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જોયું કે ‘શાખા’ તરીકે ઈસુને માટે યાજક તરીકે પણ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેથી તે બ્રાહ્મણ સાથે સંપૂર્ણ રીતે ઓળખે પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. હકીકતમાં, હીબ્રુ ભવિષ્યવાણીએ સુચવ્યું હતું કે તે યાજક અને રાજાની બે ભૂમિકાઓને એક વ્યક્તિમાં એક કરશે.

13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

ઝખાર્યા ૬:૧૩

ઈસુ વૈશ્ય તરીકે

હીબ્રુ ઋષિ/પયગંબરોએ પણ એવો ભવિષ્યવાણી કરી હતી કે જે આવનાર છે તે, વેપારીના જેવો છે, એક વેપારી બને. તેઓએ ભાખ્યું:

  3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.

યશાયા: ૪૩:૩

ઇશ્વર આવનાર એકની સાથે પ્રબોધકીય રીતે બોલી રહ્યા છે, એમ કહીને કે તે વસ્તુઓનો વેપાર કરશે નહીં, પરંતુ તે લોકો માટે વેપાર કરશે – પોતાના જીવનની અદલાબદલી કરીને. તેથી આવનાર એક તે એક વેપારી હશે, લોકોને મુક્ત કરવાનો વેપાર કરશે. વેપારી તરીકે તે વૈશ્ય સાથે ઓળખ પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે.

શુદ્ર – ચાકર

ઋષિઓ/પયગંબરોએ પણ તેમની ચાકર અથવા શૂદ્ર તરીકેની આગામી ભૂમિકાની ખૂબ વિગતવાર આગાહી કરી હતી. અમે જોયું કે પ્રબોધકોએ કેવી રીતે ભવિષ્યવાણી કરી હતી કે શાખા એક ચાકર હશે, જેમની સેવા પાપોને દૂર કરવાની હશે:

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”

ઝખાર્યા ૩:૮-૯

આવનાર શાખા, જે યાજક, શાસક અને વેપારી હતા, તે એક ચાકર – શુદ્ર પણ હતા. યશાયાએ તેમના સેવક (શૂદ્ર) ની ભૂમિકા વિશે વિગતવાર પ્રબોધ કર્યો. આ ભવિષ્યવાણીમાં ઇશ્વર બધા ‘દૂરના’રાષ્ટ્રોને (તે આપણે છે!) આ શુદ્રની સેવા તરફ ધ્યાન આપવાની સલાહ આપે છે.

પણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?
2 તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.
3 લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ

.યશાયા: ૪૯:૧-૬

હીબ્રુ/યહૂદી જાતિમાંથી આવતા હોવા છતાં, આ આગાહી કરે છે કે આ ચાકર ની સેવા ‘પૃથ્વીના છેડા સુધી પહોંચશે’. ભવિષ્યવાણી પ્રમાણે ઈસુની સેવા ખરેખર પૃથ્વી પરના બધા દેશોને સ્પર્શી ગઈ છે. સેવક તરીકે, ઈસુએ બધા શૂદ્ર સાથે સંપૂર્ણ રીતે ઓળખ પ્રાપ્ત કરી અને તેઓનું પ્રતિનિધિત્વ કર્યું.

અવર્ણ પણ …

બધા લોકો માટે મધ્યસ્થી બનાવા માટે ઈસુએ પણ અવર્ણ અથવા અનુસૂચિત જાતિ, આદિજાતિઓ અને દલિતોનું પ્રતિનિધિત્વ કરવું પડશે. તે કેવી રીતે કરશે? હીબ્રુ વેદોએ આગાહી કરી હતી કે તે સંપૂર્ણ રીતે તિરસ્ક્રુત થશે અને ધિક્કાર પામશે, બાકીના આપણા સર્વ દ્વારા તેમને અવર્ણા તરીકે જોવામાં આવશે.

કેવી રીતે?

અહીં સામેલ કેટલાક ખુલાસાઓ સાથે સંપૂર્ણ ભવિષ્યવાણી છે. નિરીક્ષણ કરો કે તે ‘તે’  અને ‘તેને’વીશે બોલે છે તેથી તે આવનાર માણસની ભવિષ્યવાણી કરે છે. ભવિષ્યવાણી ‘ફ઼ણગા’ ના રૂપકનો ઉપયોગ કરતી હોવાથી, આપણે જાણીએ છીએ કે તે શાખાનો ઉલ્લેખ કરે છે જે યાજક અને શાસક હતા. પણ આ વર્ણન અવર્ણા માટે છે.

આવનાર જે ધિક્કાર પામેલ છે

 4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;
5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છી

એ.યશાયા ૫૩:૧-3

જો કે ઇશ્વર સમક્ષ ‘ફ઼ણગો’ (એટલે ​​કે વડ શાખા), આ માણસને ’તિરસ્કુત’ કરવામાં અને ‘નકારવામાં’ આવશે, જે ‘વેદના ’થી ભરેલો હશે અને તેને અન્ય લોકો દ્વારા ’નિમ્ન ગણવામાં આવશે’. તેમને અક્ષરશ: અસ્પૃશ્ય ગણવામાં આવશે. આ આવનાર પછી જેઓ એક અનુસૂચિત જનજાતિ (વનવાસી) અને પછાત જાતિ – દલિતો કે જેઓ તિરસ્ક્રુત લોકો છે તેઓનું પ્રતિનિધિત્વ કરવામાં સક્ષમ છે.

6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
7 તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું

નહિ.શાયા ૫૩:૪-૫

આપણે કેટલીકવાર અન્યની કમનસીબીનો ન્યાય કરીએ છીએ, અથવા સમાજમાં નીચલા વર્ગના લોકોની દશા માટે તેમના પાપોનું અથવા તેમના કર્મના પરિણામ તરીકે જુએ છે. તેવી જ રીતે, આ માણસનું કષ્ટ એટલું મોટું હતું કે આપણે માની લઈએ છીએ કે તેને ઇશ્વર દ્વારા સજા આપવામાં આવી રહી છે. આથી જ તેને ધિક્કારવામાં આવશે. પરંતુ તેને તેના પોતાના પાપો માટે સજા થશે નહીં – પરંતુ આપણા પાપો માટે. તે આપણા સાજાપણા અને શાંતિ માટે ભયંકર બોજ સહન કરશે.

આ વાત નાઝરેથના ઈસુના વધસ્તંભમાં પૂરી થઈ હતી, જેમને વધસ્તંભ પર ‘વીંધવામાં’આવ્યા, ત્રાસ અને પીડા આપવામાં આવ્યા હતા. જો કે આ ભવિષ્યવાણી તેઓ જીવ્યા તે પહેલા ૭૫૦ વર્ષ પહેલાં લખાઈ હતી. તેઓ નીમ્ન કક્ષાના બન્યા અને તેમણે વેદના સહન કરી, તેમાં ઈસુ વીશેની આ ભવિષ્યવાણી પૂરી થઇ અને હવે તે બધી પછાત જાતિ અને જનજાતિનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

8 તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.

યશાયા ૫૩:૬-૭

તે આપણું પાપ છે અને આપણે ધર્મથી ભટકી ગયા છીએ કે જેથી તે જરૂરી બન્યું કે આ માણસે આપણાં દુષ્કર્મ કે પાપો પોતાના પર લેવા જોઈએ. તે આપણી જગ્યાએ શાંતિપૂર્ણ રીતે વધ થવા સારુ જવા તૈયાર થઈ જશે, વિરોધ કરશે નહીં કે ‘મોં ખોલશે’  પણ નહીં. આ સચોટ રીતે પૂર્ણ થયું કે કેવી રીતે ઈસુ સ્વૈચ્છિક રીતે વધસ્તંભ પર ગયા.

9 દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું

નહોતું.યશાયા ૫૩:૮

ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે તેમને ‘જીવતાઓની ભૂમિ પરથી કાપી નાખવામાં આવશે’, ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે આ પુર્ણ થયું.

10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ

થશે.યશાયા ૫૩:૯

ઈસુ મરણ પામ્યા,તે એક  ‘દુષ્ટ’  માણસની માફ઼ક નિંદા પામ્યા, જો કે ‘તેમણે કોઈ હિંસા નહોતી કરી’અને ‘તેમના મુખમાં કોઈ કપટ નહોતું”. તેમ છતાં, તેમને અરીમથાયના યુસફ કે જે એક પૈસાદાર યાજક હતા તેની કબરમાં દફનાવવામાં આવ્યા,. ઈસુના સંબંધી આ બંને બાબતો એટલે કે ‘દુષ્ટોની સાથે તેમની કબર ઠરાવેલી હતી, તો પણ ‘તેના મરણમાં ધનિકની સાથે’તે પૂર્ણ થઇ.

10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસઊપજશે એક ઓમેરબી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.”

યશાયા ૫૩:૧૦

આ ક્રૂર મૃત્યુ કોઈ ભયંકર અકસ્માત કે દુર્ભાગ્ય નહોતુ. તે ‘ઈશ્વરની ઇચ્છા’ હતી.

શા માટે?

કારણ કે આ માણસનું ‘જીવન’  એ ‘પાપનું અર્પણ’ બનવાનું  છે.

કોનું પાપ?

આપણામાંના જેઓ ‘ઘણા દેશોમાં’  ‘ભટકી ગયા’ છે. જ્યારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તે રાષ્ટ્રીયતા, ધર્મ અથવા સામાજિક પદને ધ્યાનમાં લીધા વગર આપણ બધાને પાપથી શુદ્ધ કરવા માટે તે બલિ બન્યા હતા.

એક જે તિરસ્ક્રુત હતા તે વિજયી બન્યા

11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિદોર્ષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.”

યશાયા ૫૩:૧૧

ભવિષ્યવાણીનો સૂર હવે વિજેતા બનવા તરફ઼ બદલાય છે. ભયંકર ‘વેદના’  પછી (‘ધિક્કારાયેલ’અને ‘જીવતાંઓની ભૂમિથી કપાયેલ’ અને ‘કબર’ને  સોંપાયેલ), આ સેવક ‘જીવનનો પ્રકાશ’  જોશે.

તે ફરી જીવંત થશે! અને આમ કરવાથી આ સેવક ઘણાને ‘ન્યાયી ઠેરવશે’.

 ‘ન્યાયી ઠરવું’ એ ‘ન્યાયીપણું’ મેળવવા જેટલું જ છે.  ઋષિ ઈબ્રાહિમના સંબંધી ‘ગણવામાં’ આવ્યું  કે ‘ન્યાયીપણું’ આપવામાં આવ્યું. તે ફક્ત તેના વિશ્વાસને કારણે તેને આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ સેવક કે જે પોતે અસ્પૃશ્ય બનવા જેટલું નીમ્ન ગણાયા, તે ’ઘણાને’ ‘ન્યાયી ઠેરવશે’ અથવા ન્યાયપણાને સિધ્ધ કરશે. ઈસુએ તેમના વધસ્તંભ પછી મૃત્યુમાંથી સજીવન થવાથી બરાબર આ જ બાબત સિદ્ધ કરી અને હવે આપણને ન્યાયી ઠેરવે છે.


12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”

યશાયા ૫૩:૧૨

જો કે આ ઈસુ જીવ્યા તે અગાઉ ૭૫૦ વર્ષ પહેલાં લખાયેલું હતું, તે આ પ્રકારે વિગતવાર પૂર્ણ થયું કે જે બતાવે છે કે તે ઈશ્વરની યોજના હતી. તે એ પણ બતાવે છે કે ઈસુ અવર્ણાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, જેઓ સમાજમાં ઘણીવાર સૌથી ઓછું માન ધરાવતા હોય છે. હકીકતમાં, તેઓના તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં પાપોને પણ માફ઼ કરવા, ઉપાડવા અને શુદ્ધ કરવા આવ્યા હતા,.

તે તમને અને મને જીવનની ભેટ આપવાની ઈશ્વરની યોજનાના કેન્દ્ર તરીકે આવ્યા હતા – પાપની અપરાધ ભાવના અને કર્મથી શુદ્ધ કરવા. શું આવી મુલ્યવાન ભેટને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેવી અને સમજવી યોગ્ય નથી? અહીં આ કરવાની ઘણી રીતો છે:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *