ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે

ધાર્મિક વિધિથી શુદ્ધ થવું એ કેટલું મહત્વનું છે?  શુદ્ધતાની જાળવણી અને અશુદ્ધતાથી દૂર રહેવું? આપણામાંના ઘણા અશુદ્ધતાના વિવિધ સ્વરૂપો જેવા કે અસ્પૃશ્યતા, જેમાં એક બીજાથી અશુદ્ધતા ફ઼ેલાવનાર લોકો વચ્ચે પરસ્પર સ્પર્શ ટાળવા અથવા ઘટાડવા વગેરે જેવી બાબતોનો અમલ કરવા માટે સખત મહેનત કરે છે. ઘણા અશુદ્ધ ખોરાકને પણ ટાળે છે, કે જે અશુદ્ધતાનું બીજું સ્વરૂપ છે જ્યાં આપણે જે ખોરાક ખાઈએ તેમાં અશુદ્ધતા ઊભી થયેલ છે, કારણ કે જેણે ખોરાક તૈયાર કર્યો છે તે અશુદ્ધ છે.

ધર્મ જે શુધ્ધતા જાળવી રાખે છે

જ્યારે આપણે તેના પર ચિંતન કરીએ છીએ, ત્યારે આપણે ધાર્મિક નીતિનિયમોનું યોગ્ય રીતે પાલન કરવા માટે ખૂબ પ્રયત્નો કરી શકીએ છીએ. બાળકના જન્મ પછી, માતાએ સુચવેલ નિયમોનું પાલન કરવું જોઈએ જેમકે સુતક, જેમાં લાંબા સમય સુધી સામાજિક અંતર રાખવુ પડે છે. કેટલીક પરંપરાઓમાં જન્મ આપ્યા પછી જાચ્ચા (નવી માતા) ને એક મહિના માટે અશુદ્ધ માનવામાં આવે છે. સ્નાન અને મસાજની શુદ્ધિકરણ પ્રક્રિયા જેને છઠ પ્રથા (સોર) કહેવામાં આવે છે તે કરવા દ્વારા, માતાને ફરીથી શુધ્ધ ગણવામાં આવે છે. બાળકના જન્મ સિવાય પણ, સ્ત્રીનો માસિક સ્ત્રાવ સામાન્ય રીતે તેને અશુદ્ધ બનાવે છે તેથી તેણે ધાર્મિક શુદ્ધિકરણ દ્વારા ફ઼રીથી શુદ્ધતા પ્રાપ્ત કરવી  જોઈએ. લગ્ન પહેલાં અથવા અગ્નિ અર્પણ કરતા પહેલા (હોમ અથવા યજ્ઞ)), શુદ્ધતા જાળવવા માટે, ઘણા લોકો ધાર્મિક શુદ્ધિકરણ વિધિ કરતા હોય છે જેને પુણ્યહવનમ, જ્યાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

આપણે જે ખોરાક ખાઈએ તે, જે વસ્તુઓ અથવા લોકો કે જેઓને આપણે સ્પર્શ કરીએ છીએ, અથવા આપણા શરીરની ક્રિયાઓ, આવી ઘણીબધી બાબતો છે જેનાથી આપણે અશુદ્ધ થઈ શકીએ છીએ. તેથી ઘણા લોકો શુદ્ધતા જાળવવા સખત મહેનત કરે છે. આથી જ શુદ્ધતા સાથે જીવનમાં યોગ્ય રીતે પ્રગતિ કરવા સંસ્કારા (અથવા સંસ્કાર) તરીકે ઓળખાતા માર્ગની ધાર્મિક વિધિઓ આપવામાં આવી હતી.

ગૌતમ ધર્મસૂત્ર

ગૌતમ ધર્મસૂત્ર એ સૌથી પ્રાચીન સંસ્કૃત ધર્મસુત્રોમાંનુ એક છે. તેમાં ૪૦ બાહ્ય સંસ્કાર (જેમ કે જન્મ પછીના શુધ્ધિકરણની ધાર્મિક યાદી), પણ આઠ આંતરિક સંસ્કારો જે આપણે શુદ્ધતા જાળવવા માટે કરવા જોઈએ તેની સૂચી છે. તેઓ આ પ્રમાણે છે:

બધા જીવો પ્રત્યે કરુણા, ધૈર્ય, ઈર્ષ્યાનો અભાવ, શુદ્ધતા, સુલેહ-શાંતિ, હકારાત્મક સ્વભાવ, ઉદારતા અને સંપત્તિ પ્રત્યેનો અભાવ.                                                                                                                         

બધા જીવો પ્રત્યે કરુણા, ધૈર્ય, ઈર્ષ્યાનો અભાવ, શુદ્ધતા, શાંતિ, સકારાત્મક સ્વભાવ, ઉદારતા અને સંપત્તિનો અભાવ.

ગૌતમ ધર્મ-સૂત્ર ૮:૨૩

ઈસુનું – શુદ્ધતા અને અશુદ્ધતા પરનું શિક્ષણ

આપણે જોયું કે ઈસુના શબ્દોમાં કેવું સામર્થ્ય હતું કે તેમણે અધિકાર સાથે શીખવ્યું, લોકોને સાજા કર્યા અને પ્રકૃતિને હુકમ કરતા. ઈસુ આપણને આપણી આંતરિક શુદ્ધતા વિશે વિચારવા માટે પણ બોલ્યા, અને ફક્ત બાહ્ય જ નહીં. જો કે આપણે અન્ય લોકોની ફક્ત બહારની શુદ્ધતા જ જોઈ શકીએ છીએ, પણ ઈશ્વર માટે કઇંક અલગ છે – તેઓ આંતરિક જીવન પણ જુએ છે. જ્યારે ઇઝરાઇલના એક રાજાએ બાહ્ય શુદ્ધતા જાળવી રાખી, પરંતુ પોતાનું આંતરિક હૃદય શુદ્ધ રાખ્યું નહીં, ત્યારે તેમના ગુરુ આ સંદેશ લાવ્યા જે બાઇબલમાં નોંધ્યો છે:

9 યહોવાની ષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોય છે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય પ્રગટ કરે છે. તેઁ કેવી મૂર્ખાઇ કરી છે! હવેથી તારે યુદ્ધો ખેલવા પડશે.”

૨ કાળવૃત્તાંત ૧૬:૯ એ

આંતરિક શુદ્ધતાનો સંબંધ આપણા ‘હૃદય’ સાથે છે – એટલે કે ‘તમે’  જે વિચારો છો, અનુભવો છો, નિર્ણય કરો છો, આધિન થાઓ છો અથવા અનાદર કરો છો અને જીભ પર અંકુશ રાખો છો. માત્ર આંતરિક શુદ્ધતાથી જ આપણા સંસ્કાર અસરકારક બને છે. તેથી ઈસુએ તેમના ઉપદેશમાં બાહ્ય શુદ્ધતા સાથે સરખામણી કરીને ખાસ આ બાબત પર ભાર મૂક્યો. અહીં આંતરિક  શુદ્ધતા વિશેના તેમના શિક્ષણની સુવાર્તા નોંધ કરે છે

37 ઈસુએ બોલવાનું પૂરું કર્યા પછી ફરોશીએ ઈસુને પાતાની સાથે જમવા બોલાવ્યો તેથી ઈસુ આવ્યો અને મેજ પાસે બેઠો.
38 પણ ફરોશીને તે જોઈને આશ્ચર્ય થયું જ્યારે ઈસુએ જમતાં પહેલા તેના હાથ ધોયા નહિ.
39 પ્રભુએ (ઈસુ) તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પરંતુ તમારા અંતરમાં તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી વસ્તુઓ અને દુષ્ટતા છે.
40 તમે મૂર્ખ છો! જેણે (દેવ) બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ નથી બનાવ્યું શુ?
41 તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો, પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો.
42 “પણ તમે ફરોશીઓને અફસોસ છે. તમે દેવને તમારી પોતાની બધી વસ્તુઓનો દશમો ભાગ આપો છો, તમે તમારા બાગમાં થતી ફુદીનાનો, સિતાબનો તથી બીજા નાના છોડનો દશાંશ જ આપો છો. પણ તમે બીજા લોકો તરફ ન્યાયી થવાનું અને દેવને પ્રેમ કરવાનું ભૂલી જાઓ છો. તમારે આ પ્રમાણે કરવું જોઈએ, અને પેલી બીજી બાબતો જેવી કે દશમો ભાગ આપવાનું પણ ચાલુ રાખવું જોઈએ.
43 “ફરોશીઓ તમારે માટે અફસોસની વાત છે કારણ કે તમે સભાસ્થાનોમાં માનવંત સ્થાનોને ચાહો છો, અને રસ્તે જતાં લોકો તમને સલામ કરીને માન આપે એવું તમે ચાહો છો.
44 તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.”

લુક ૧૧:૩૭-૪૪

52 “ઓ પંડિતો, તમને અફસોસ છે! કેમ કે તમે દેવ વિષે શીખવાની ચાવી સંતાડી દીધી છે. તમે તમારી જાતે શીખતા નથી અને બીજાઓને પણ તે શીખવામાંથી અટકાવ્યા છે.”

લુક ૧૧:૫૨

 (‘ફરોશીઓ’સ્વામી અથવા પંડિતો જેવા જ યહૂદી શિક્ષકો હતા. ઈસુએ ઈશ્વરને ‘દશાંશ’ આપવાનો ઉલ્લેખ કર્યો. આ ધાર્મિક દાનધર્મ કરવાની બાબત હતી)

યહૂદી નિયમ પ્રમાણે મૃતદેહને સ્પર્શ કરવો એ અશુદ્ધ હતું. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ ‘નિશાની વગરની કબરો’ઉપર ચાલે છે, ત્યારે તેનો અર્થ એ હતો કે તેઓ અજાણે  અશુદ્ધ બન્યા કારણ કે તેઓ આંતરિક શુદ્ધતાની અવગણના કરી રહ્યા હતા. આંતરિક શુદ્ધતાની અવગણના કરવાથી આપણે એટલાજ  અશુદ્ધ થઇએ છીએ કે છે જાણે કોઈ મ્રુત શરીરને અડક્યા હોય.

હૃદય ધાર્મિક રીતે શુદ્ધ વ્યક્તિને અશુદ્ધ કરે છે

નીચે આપેલા શિક્ષણમાં, ઈસુએ યશાયા પ્રબોધક જેઓ ઇ.સ.પુર્વે ૭૫૦ માં જીવી ગયા તેમના પુસ્તકમાંથી તેમાંથી અવતરણો ટાંક્યા છે.

ઐતિહાસિક સમયરેખામાં ઋષિ યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો

છી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું.
2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો?
4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’
5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’
6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે.
7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે. તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.”
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો.
11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”
12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે.
14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”
15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”
16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે?
17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે.
18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે.
19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે.
20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”

માથ્થી ૧૫:૧-૨૦

આપણા હૃદયમાંથી તે નીકળે છે જે આપણને અશુદ્ધ બનાવે છે. ઈસુએ જણાવેલ માણસના હૃદયના અશુદ્ધ વિચારોની સૂચિ, ગૌતમ ધર્મસુત્રમાં જણાવેલ શુદ્ધ વિચારોની સૂચિથી બીલકુલ વિરુધ્ધ છે. આમ તેઓ એક સરખું જ શીખવે છે.

23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ.
24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.
25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો.
26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.
27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે.
28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો

.માથ્થી ૨૩:૨૩-૨૮

તમે જે પણ પ્યાલાથી પીશો, તમે તેને ફક્ત બહારથી જ નહીં, પણ અંદરથી પણ સાફ કરશો. આ ઉદાહરણ પ્રમાણે આપણે પ્યાલો છીએ. ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે ફક્ત બહારથી જ નહીં, પણ અંદરથી સાફ રહીએ.

આપણે બધાએ જે જોયું છે તે ઈસુ જણાવે છે. બાહ્ય શુદ્ધતાને અનુસરવું એ ધાર્મિક લોકોમાં એકદમ સામાન્ય બાબત છે, પરંતુ હજી પણ ઘણા લોકો આંતરિક જીવનમાં લોભ અને ભોગવિલાસથી ભરેલા છે- તેમાં પણ જેઓ ધાર્મિકતાનું મહત્વ ધરાવે છે તેઓમાં. આંતરિક શુદ્ધતા મેળવવી જરૂરી છે – પરંતુ તે ઘણી અઘરી બાબત છે.

ઈસુએ ગૌતમ ધર્મસૂત્રના સૂચિમાં જે આઠ આંતરિક સંસ્કારો જણાવેલ છે તેવું જ લગભગ શીખવ્યું:

જે માણસે ચાળીસ સંસ્કાર નું પાલન કર્યું હોય પરંતુ તેનામાં આ આઠ ગુણોનો અભાવ જોવા મળતો હોય, તો તે બ્રહ્મ સાથે જોડાઈ શકતો નથી.                                                                                         

જે માણસે ચાળીસ સંસ્કાર માંથી કેટલાકનું જ પાલન કર્યું હોય, પરંતુ બીજી તરફ઼ આ આઠ ગુણો ધારણ કરે છે, તો તે બ્રહ્મ સાથે એકરુપ થવાની ખાતરી ધરાવે  છે.

ગૌતમ ધર્મસૂત્ર ૮:૨૪-૨૫

તેથી આ મુદ્દો ઉઠાવવામાં આવે છે. આપણે આપણા હૃદયને કેવી રીતે શુદ્ધ કરીએ કે જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએબ્રહ્મ સાથે એકરુપ થઈએ? આપણે સુવાર્તાના શિક્ષણ દ્વારા દ્વિજ વિશે શીખવાનું ચાલુ રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *