દિવસ 4: તારાઓનો પ્રકાશ લઇ લેવા માટે કલ્કીની તરફ઼ સવારી કરવી

ઈસુએ 3 જા દિવસે શાપ ઉચ્ચાર્યો ને તેની પ્રજાને દેશનિકાલની અવસ્થામાં ધકેલી દીધી. ઈસુએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે તેમનો શાપ સમાપ્ત થઈ જશે, અને આ યુગને બંધ કરવાની ગતિવિધિઓ સુયોજીત કરાશે. શિષ્યોએ આ વિશે પૂછ્યું અને ઈસુએ સમજાવ્યુ, કલ્કી (કલ્કીન) ની જેમ તેઓએ પોતાના પાછા આવવાનું વર્ણન કર્યું.

તેમણે આ રીતે શરૂઆત કરી.

સુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા.
2 ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”
3 પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

માત્થી ૨૪:૧-૩

તેમણે તેમના શ્રાપની વિગતો આપવાની શરૂઆત કરી. પછી સાંજે મંદિરમાંથી નીકળીને તેઓ યરૂશાલેમની બહાર જૈતુન પર્વત પર જવા માટે નીકળ્યા (i). યહૂદી દિવસનો પ્રારંભ સૂર્યાસ્ત સમયે થતો હોય, હવે તે અઠવાડિયાનો 4 થો દિવસ હતો જ્યારે તેમણે તેમના પાછા ફરવા માટેનું વર્ણન કર્યું.

પૌરાણિક કથામાં કલ્કી

ગરુડ પુરાણમાં કલ્કીને વિષ્ણુના દશાવતાર (દસ પ્રાથમિક અવતારો /દેહધારીપણા) નો અંતિમ અવતાર ગણાવ્યો છે. કલ્કી વર્તમાન યુગ જે કળિયુગ છે તેના ના અંતમાં આવશે. પુરાણો કહે છે કે કલ્કીના આવતા પહેલા જ દુનિયાની અધોગતિ થશે અને લોકો ધર્મને ગુમાવશે. લોકો અકુદરતી જાતિય સંબંધોમાં જોડાશે, નગ્નતાના શોખીન બનશે, અને અન્યાયી વર્તન કરશે, ત્યારે વિવિધ કુદરતી આફતો અને મરકીઓ થશે. એ સમયે, કલ્કી, સળગતી તલવાર ચલાવતા અને ઘોડા પર સવારી કરીને અવતાર તરીકે પ્રગટ થશે. કલ્કી પૃથ્વીના દુષ્ટ રહેવાસીઓનો નાશ કરશે અને નવા યુગમાં પ્રવેશ કરશે, જે વિશ્વને સત્ય યુગમાં પાછું લાવશે.

જો કે, વિકિપિડિયા કહે છે કે વેદોમાં કલ્કી/કલ્કિનનો ઉલ્લેખ નથી. તે મહાભારતમાં પ્રથમ પરશુરામ, ૬ ઠ્ઠા દશાવતાર અવતારના વધારા તરીકે દેખાય છે. આ મહાભારતના ભાષાંતરમાં, કલ્કી ફક્ત દુષ્ટ શાસકોનો નાશ કરે છે પરંતુ સત્ય યુગમાં નવિનીકરણ લાવતા નથી. ઇ.સ ૭ – ૯ મી સદીમાં વિદ્વાનો કલ્કીના આદ્ય સ્વરૂપ પરંપરાના વિકાસનું સૂચન કરે છે.

કલ્કીને માટે તીવ્ર ઝંખના

કલ્કી અને અન્ય પરંપરાઓમાં એ પ્રકારના વ્યક્તિઓ (બૌદ્ધ ધર્મમાં મૈત્રેય, ઇસ્લામમાં મેહદી, શીખમાં મેહદી મીર) નો વિકાસ આપણા સહજ જ્ઞાન દર્શાવે છે કે દુનિયામાં કંઇક તો ખોટું છે. અમે ઇચ્છીએ છીએ કે એવું કોઈક આવે અને તે સર્વ ઠીક કરે. આપણે ઈચ્છીએ છીએ કે તે આવનાર દુષ્ટ જુલમ કરનારાઓને પદભ્રષ્ટ કરે, ભ્રષ્ટાચારને દૂર કરે અને ધર્મનું પુનરૂત્થાન કરે. પરંતુ આપણે ભૂલીએ છીએ કે તેણે ફક્ત દુષ્ટતાને ‘ત્યાંથી’ દૂર કરવી એટલું જ નહીં, પણ આપણા જીવનના આંતરિક દુરાચારમાંથી પણ આપણને શુદ્ધ કરવા જોઈએ. અન્ય પવિત્ર ગ્રંથોએ કોઈના આવવાની અને દુષ્ટને હરાવવા માટેની આ ઝંખના વ્યક્ત કરી તે પહેલાં ઘણા લાંબા સમય અગાઉ, ઈસુએ શીખવ્યું કે તે આ બે ભાગની કામગીરી કેવી રીતે કરશે. તે તેમના પ્રથમ આગમનના સમયે આપણી આંતરિક ભ્રષ્ટાચારને સાફ કરે છે, તેના બીજી વખતના આગમનના સમયે સરકારી અને સામાજિક અધર્મ સાથે વ્યવહાર કરશે. ઈસુએ આ અઠવાડિયાના ૪ થા દિવસે તેમના બીજા આગમનની પુર્વ ધારણા વ્યક્ત કરી, તેના પરત આવવાના આગમનના ચિહ્નોનું વર્ણન કર્યું.

દિવસ 4 – તેના આગમનની નિશાનીઓ

4 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે.
5 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.
6 પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.
7 રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે.
8 પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.
9 “આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે.
10 આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે.
11 અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે.
12 અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે.
13 પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે.
14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.
15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે)
16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે.
17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ.
18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.
19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે.
20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે.
21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.
22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.
23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ.
24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે.
25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.
26 “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ.
27 જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે.
28 જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે.
29 “એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ: ‘સૂરજ અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ. અને તારાઓ આકાશમાંથી ખરી પડશે. આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’
30 એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે.
31 માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે.

માત્થી૨૪:૪-૩૧

૪ થા દિવસે ઇસુએ ભવિષ્યમાં થનાર મંદિરના વિનાશને જોયો. તેમણે શીખવ્યું કે વધતુ જતુ અનિષ્ટ, ધરતીકંપો, દુષ્કાળો, યુદ્ધો અને સતાવણીના સમયો તેમના આગમન પહેલાની વિશ્વની પરિસ્થિતી હશે. તેમ છતાં, તેમણે ભવિષ્યવાણી કરી કે સુવાર્તા હજી પણ સમગ્ર વિશ્વમાં જાહેર કરવામાં આવશે (ક.૧૪).  જેમ જેમ વિશ્વ ખ્રિસ્ત વિશે જાણશે તેમ તેમ તેમના પાછા આવવાની આગાહી કરનાર ખોટા શિક્ષકો અને તેમના જુઠા દાવા કરનારાઓની સંખ્યા વધતી જશે. યુદ્ધ, અરાજકતા અને આપત્તિ વચ્ચે નિર્વિવાદ વૈશ્વિક તકલીફ઼ો તેમના પાછા આવવાના સાચા ચિહ્નો હશે. તે તારાઓ, સૂર્ય અને ચંદ્રમાંથી પ્રકાશ દૂર કરશે.

તેના પાછા આવવાનું વર્ણન

યોહાને પાછળથી તેના આવવાનુ વર્ણન કર્યુ, તેને કલ્કીની જેમ ચિત્રિત કર્યું:

11 પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે.તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે.
12 તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે.
13 તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે.
14 આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા.
15 એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે.
16 તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:
17 પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો.
18 જેથી તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”
19 પછી મેં શ્વાપદ અને પૃથ્વીના રાજાઓને જોયા. તેઓના સૈન્યોના ઘોડેસવારો અને તેઓનાં લશ્કરો ભેગાં થયા હતાં અને લડવા તૈયાર હતા. તે જોયું.
20 પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં.
21 તેમનાં સૈન્યોને ઘોડા પરના સવારના મોંઢામાથી બહાર નીકળેલી તલવાર વડે મારી નંખાયા. બધાં પક્ષીઓએ તૃપ્ત થતાં સુધી આ મૃત શરીરોને ખાધાં.પ્રકટી

કરણ ૧૯:૧૧-૨૧

ચિહ્નોનું મૂલ્યાંકન કરવુ

આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધ, આપત્તીઓ અને ધરતીકંપ વધી રહ્યા છે – તેથી તેના પાછા આવવાનો સમય નજીક આવી રહ્યો છે. પરંતુ આકાશમાં હજી પણ કોઈ તોફ઼ાન કે ખલેલ નથી તેથી તેમનું પાછા આવવાનો સમય હજુ પાક્યો નથી.

આપણે કેટલા નજીક છીએ?

આનો જવાબ આપવાનુ ઈસુએ ચાલુ રાખ્યુ

32 “અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે.
33 તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે.
34 હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે.
35 આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

માત્થી૨૪:૩૨-૩૫

આપણી આંખો સમક્ષ અંજીરના ઝાડને કૂંપળો ફ઼ુટવી

યાદ રાખો કે અંજીરના ઝાડને ઇઝરાયેલ સાથે એક પ્રતીક તરીકે ગણવામાં આવે છે, જેને તેમણે ત્રીજા દિવસે શ્રાપ આપ્યો હતો? ઇઝરાઇલનું કરમાવું ઈ.સ ૭૦ માં શરૂ થયું હતું જ્યારે રોમનોએ મંદિરનો નાશ કર્યો હતો અને તે ૧૯00 વર્ષ સુધી કરમાઈ ગયું. ઈસુએ આપણને કહ્યું કે અંજીરના ઝાડમાંથી લીલા રંગના અંકુરને ફ઼ૂટતા તમે જુઓ ત્યારે જાણવું કે તેમનો પાછા આવવાનો સમય ‘નજીક’ છે. છેલ્લાં ૭૦ વર્ષોમાં આપણે આ ‘અંજીરના ઝાડ’ને  લીલુ થતાં અને તેના પાંદડા ફરીથી ફ઼ુટતાં જોઈએ છીએ. હા, આ બાબતની સાથે સાથે આપણા સમયમાં યુદ્ધો, વિપત્તિઓ અને મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે, પરંતુ તેમણે આ અંગે ચેતવણી આપી છે ને માટે આપણે આશ્ચર્ય પામવાની જરુર નથી.

તેથી, આપણે આપણા સમયમાં કાળજી અને સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેમણે તેમના પાછા આવવા અંગે બેદરકારી અને ઉદાસીનતા રાખવા સામે ચેતવણી આપી છે.

36 “પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે.
37 “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.
38 જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું.
39 જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે.
40 એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે.
41 આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.
42 “એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી.
43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત.
44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.
45 “ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે?
46 ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે.
47 હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે.
48 “પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના.
49 પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે.
50 પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય.
51 એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે.

માથ્થી૨૪:૩૬-૫૧

ઈસુએ શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું. તેની કડી અહીં છે.

દિવસ ૪ નો સારાંશ

બુધવારે, દુ:ખ સહન સપ્તાહના ૪ થા દિવસે, ઈસુએ તેમના પાછા આવવાની નિશાનીઓનું – બધા આકાશીય તત્વોના અંધકારની પરાકાષ્ઠા સાથેનુ વર્ણન કર્યુ.

દિવસ ૪: હીબ્રુ વેદના નિયમોની સરખામણીમાં દુ:ખ સહન સપ્તાહની ઘટનાઓ

તેમણે આપણને બધાને ચેતવણી આપી કે તેમના પાછા આવવાની આપણે કાળજીપુર્વક વાટ જોઇએ. જ્યારે આપણે અંજીરના ઝાડને લીલુ થતા જોઈએ છીએ, ત્યારે આપણે તે પર લક્ષ રાખવું જોઈએ.

સુવાર્તામાં નોંધવામાં આવ્યું છે કે કેવી રીતે તેમનો શત્રુ તેમની સામે કાર્યરત બન્યો, ૫ મા દિવસે, આગળ ઉપર.

 [i] તે અઠવાડિયાના દરેક દિવસનું વર્ણન કરતા લૂક સમજાવે છે:

લૂક 21: 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *