યોમ કીપુર – મૂળ દુર્ગાપૂજા

દક્ષિણ એશિયાના મોટાભાગના પ્રદેશોમાં અશ્વિન (અશ્વિન) મહિનામાં દુર્ગાપૂજાની (અથવા દુર્ગોસ્તવ)૬-૧૦ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રાચીન યુદ્ધમાં અસુર મહિષાસુરા સામેની દેવી દુર્ગાની જીતને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ઘણા ભક્તોને ખ્યાલ હોતો નથી કે આ તહેવારની સાથે સાથે એક અતિ પ્રાચીન તહેવાર યોમ કીપુર (અથવા પ્રાયશ્ચિત દિવસ) તરીકે ઓળખાતા હતા કે જે ૩૫૦૦ વર્ષ અગાઉ હિબ્રુ પંચાંગ ના સાતમા ચંદ્ર માસના ૧૦ મા દિવસે ઉજવવામાં આવતો હતો., જે હિંદુ વર્ષમાં સાતમા મહિનાની ૧૦ મી તારીખે આવે છે; તેની સાથે તે વધુ એકરુપ છે . આ બંને તહેવારો પ્રાચીન છે, બંને એક જ દિવસે આવે છે (પોત પોતાના પંચાગ પ્રમાણે હિબ્રુ અને હિન્દુ પંચાગમાં તેમનો લીપ-મહિનો અલગ અલગ વર્ષે આવતો હોય છે, તેથી અંગ્રેજી પંચાંગમાં તેઓ હંમેશાં એક સમયે આવતા નથી પરંતુ તે બંને મોટેભાગે સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં આવતા હોય છે), બંનેમાં બલિદાન ચઢાવવામાં આવે છે, અને એક મોટા વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. દુર્ગાપૂજા અને યોમ કીપુર વચ્ચેની સમાનતાઓ આશ્ચર્યજનક છે. તેઓમાં રહેલ થોડી અલગતાઓ એટલીજ નોંધપાત્ર છે.

પ્રાયશ્ચિતનો દિવસ રજૂ થયો

મુસા અને તેનો ભાઈ હારુન ઈસ્રાએલીઓને દોરી ગયા અને ઈસુ આવ્યા અગાઉ ૧૫૦૦ વર્ષ પહેલાં નિયમશાસ્ત્ર પ્રાપ્ત થયું.

આપણે શ્રી મૂસાએ કાલી યુગમાં ઇસ્રાએલીઓને (હિબ્રૂઓ અથવા યહૂદીઓ) આગેવાની અને માર્ગદર્શન આપ્યું; અને તેઓએ દશ આજ્ઞાઓ પ્રાપ્ત કરી તે વીશે જોયું. તે દશ આજ્ઞાઓ ખૂબ કડક હતી, પાપથી પિડીત લોકોને પાળવી ખુબજ અશક્ય હતું. આ કરાર કોષ એટલે કે દશ આજ્ઞાઓનો શિલાલેખ, પરમ પવિત્ર સ્થાનમાં; ખાસ મંદિરમાં રાખવામાં આવ્યો હતો.  

મૂસાના ભાઈ હારુન અને તેના વંશજો આ મંદીરમાં પુરોહિતો હતા કે જેઓ લોકોના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તથા પોતાના લોકોના પાપોની માફ઼ીને સારું આ મંદિરમાં અર્પણો ચડાવતા હતા. પ્રાયશ્ચિતના દિવસે – યોમ કીપુર પર વિશેષ બલિદાન આપવામાં આવતું હતું. આજે આપણા માટે આ મૂલ્યવાન પાઠ છે, અને પ્રાયશ્ચિત દિવસ (યોમ કીપુર) ને દુર્ગાપૂજાની વિધિઓ સાથે સરખામણી કરીને આપણે ઘણું શીખી શકીએ છીએ.

પ્રાયશ્ચિતનો દિવસ અને બલિનો બકરો

મુસાના સમયથી હિબ્રુ વેદ એટલે કે બાઈબલ છે, જે પ્રાયશ્ચિત દિવસના બલિદાન અને ધાર્મિક વિધિઓ વિશે ચોક્કસ સૂચનાઓ આપે છે. આપણે જોઇશું કે આ સૂચનાઓનો પ્રારંભ કેવી રીતે થાય છે:

યહોવા સમક્ષ ધૂપ અર્પણ કરતી વખતે હારુનના બે પુત્રો અવસાન પામ્યા. 
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને ચેતવણી આપ કે, તેણે પરમ પવિત્રસ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના ઢાંકણ સમક્ષ ઠરાવેલા સમયે જ પ્રવેશ કરવો, નહિ તો તેનું મૃત્યુ થશે. કારણ કે તે ઢાંકણના પરના ભાગમાં વાદળરૂપે હું દર્શન દઉ છું. 

લેવીય ૧૬: ૧-૨

પ્રમુખ યાજક હારુનના બે પુત્રો જ્યારે પરમ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની હાજરીમાં અયોગ્ય રીતે મંદિરમાં પ્રવેશ્યા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા,. તેઓ દશ આજ્ઞાઓ સંપૂર્ણ રીતે પાળવામાં તેમની નિષ્ફળતાના પરિણામે તેઓ મરણ પામ્યા.

તેથી ખુબજ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં આખા વર્ષમાં એકમાત્ર દિવસે(પ્રાયશ્ચિતનો દિવસ) મુખ્ય યાજક પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશી શકતા. જો તે બીજા કોઈ દિવસે પ્રવેશ કરે, તો તે મરણ પામે. પરંતુ આ એક દિવસે પણ, પ્રમુખ યાજક કરાર કોષની હાજરીમાં તેણે યોગ્ય રીતે પ્રવેશવું પડે:

“ત્યાં તેને પ્રવેશ કરવા માંટેની શરતો: તેણે પાપાર્થાર્પણ માંટે એક વાછરડો તથા દહનાર્પણ તરીકે એક ઘેટો લાવવો અને પછી જ પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો. 
તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું. 

લેવીય ૧૬:૩-૪

દુર્ગાપૂજાના સપ્તમીના દિવસે, પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા દુર્ગાની મૂર્તિઓમાં પ્રાણ પુરવામાં આવે છે અને મૂર્તિઓને સ્નાન કરાવી પોશાક પહેરાવવામાં આવે છે. યોમ કીપુરમાં પણ સ્નાન કરાવવાનો સમાવેશ કરાતો હતો, પરંતુ તેમાં પ્રમુખ યાજક સ્નાન કરીને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશવા તૈયાર થતા હતા અને નહી કે દેવ. પ્રભુ પરમેશ્વવરને ઉઠાડવાની જરુર રહેતી  નથી કારણ કે વર્ષ દરમ્યાન હમેંશા પરમ પવિત્ર સ્થાનમાં તેમની હાજરી રહેતી. ખરેખર જરુરીઆત તો તેમને મળવા માટે તૈયાર થવાની છે. યાજક સ્નાન કરીને, યોગ્ય પોષાક પહેરીને બલિદાનને માટે પ્રાણીઓને લાવતા હોય છે.  

“ઇસ્રાએલી પ્રજાએ તેઓના પાપાર્થાર્પણ માંટે બે બકરા તથા દહનાર્પણ તરીકે એક ઘેટો આપવો. 
તેણે પોતાના પાપાર્થાર્પણ માંટે યહોવાની સમક્ષ વાછરડાને વધેરવું અને પોતાના અને પોતાના પરિવારના પાપની પ્રાયશ્ચિતવિધિ કરવી. 

લેવિય ૧૬: ૫-૬

હારુનનાં પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે બળદનું બલિદાન આપવામાં આવતું હતું. તેવું જ ક્યારેક દુર્ગાપૂજા દરમિયાન પણ બળદ અથવા બકરાનું બલિદાન કરવામાં આવે છે. યોમ કીપુર માટે યાજકના પોતાના પાપોને ઢાંકવા બળદનું બલિદાન ચડાવવામાં આવતું હતું તે કોઇ વિકલ્પ નહોતો. જો તે પોતાનાં પાપોના પ્રાયશ્ચિત માટે બળદનું બલિદાન ચઢાવે નહીં, તો તે  મરી જાય.

પછી તરત જ, યાજક બે બકરા ની નોંધપાત્ર વિધિ કરે છે.

“ત્યાર પછી તેણે પેલા બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ રજૂ કરવા. 
પછી તેણે ચિઠ્ઠી ઉપાડીને એ બકરામાંથી એક યહોવાને માંટે અને એક અઝાઝેલ માંટે નક્કી કરવો. 
“યહોવા માંટે નક્કી થયેલ બકરો તેણે પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો. 

લેવીય ૧૬:૭-૯

એકવાર બળદને તેના પોતાના પાપો માટે બલિ આપ્યા પછી, યાજક બે બકરા લેશે અને તેના પર ચીઠ્ઠીઓ નાખશે અને તેઓમાંનો એક એક બકરાને બલિના બકરા તરીકે નિયુક્ત કરવામાં આવશે. બીજા બકરાને પાપાર્થાર્પણ તરીકે તેનું બલિદાન આપવામાં આવતું હતું. આવું શા માટે?

15 “ત્યાર પછી તેણે લોકોના પાપાર્થાર્પણના બકરાનું બલિદાન કરવું અને તેનું લોહી પડદાની અંદરની બાજુ લાવવું અને વાછરડાના લોહીની જેમ મંજૂષાના ઢાંકણ ઉપર અને તેની સામે છાંટવું. 
16 આ રીતે તેણે ઇસ્રાએલીઓની શુદ્ધિથી તેમના અપરાધો અને તેમનાં પાપોથી પરમ પવિત્રસ્થાન ને મુકત કરવા; પ્રાયશ્ચિતવિધિ કરવી, એજ રીતે તેણે ઇસ્રાએલીઓની વસ્તીની વચમાં આવેલો હોવાને કારણે મુલાકાતમંડપને લાગેલી અશુદ્ધિઓની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવી. 

લેવીય ૧૬:૧૫-૧૬

આ બલિના બકરાનું શું થયું?

20 “પરમ પવિત્ર સ્થાનની, મુલાકાતમંડપની અને વેદીની શુદ્ધિ પતી ગયા પછી તેણે જીવતો રહેલો બકરો લાવવો. 
21 અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો. 
22 પછી તે બકરો લોકોનાં સર્વ પાપ, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માંણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે. 

લેવીય ૧૬:૨૦-૨૨

બળદનું બલિદાન હારુનનાં પોતાના પાપો માટે હતું. પ્રથમ બકરાનું બલિદાન ઇસ્રાએલી લોકોના પાપો માટે હતું. ત્યારબાદ હારુન પોતાના હાથ જીવતા બલિના બકરાના માથા પર મૂકશે અને – સાંકેતિક રીતે – લોકોના પાપોને બલિના બકરા પર સ્થાનાંતરિત કરવામાં આવતા. ત્યારબાદ આ બકરાને, હવે લોકોના પાપ દૂર કરવામાં આવ્યા હોવાના સંકેત રૂપે અરણ્યમાં છોડી દેવામાં આવતો હતો. આ બલિદાનથી તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવતું. આ દર વર્ષે પ્રાયશ્ચિતને દિવસે જ કરવામાં આવતું હતું.

પ્રાયશ્ચિતનો દિવસ અને દુર્ગાપૂજા

શા માટે ઇશ્વરે આ તહેવાર દર વર્ષે આ દિવસે જ ઉજવવા માટે આદેશ આપ્યો? તેનો અર્થ શું હતો?  દુર્ગાપૂજા સંબંધી અગાઉના સમયમાં તપાસ કરીએ તો જાણવા મળે છે કે તે દિવસે દુર્ગાએ ભેંસ રાક્ષસ મહિષાસુરાને હરાવ્યો. તે ભૂતકાળની એક ઘટનાની યાદગીરીને માટે ઉજવવામાં આવે છે. પ્રાયશ્ચિત દિવસે પણ ભવિષ્યવાણીને આધારે ભવિષ્યમાં બનનાર ઘટના કે જેમાં દુષ્ટતા પર વિજય પ્રાપ્ત કરવામાં આવશે તે માટેની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે વાસ્તવિક રીતે પ્રાણીઓનાં બલિદાન ચઢાવવામાં આવતાં હતાં, તે પણ સાંકેતિક હતું. વેદ પુસ્તકન (બાઇબલ) એ સમજાવે છે

કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી. 

હિબ્રૂ ૧૦:૪

પ્રાયશ્ચિતના દિવસનાં બલિદાનો ખરેખર યાજક અને ભક્તોના પાપોને દૂર કરી શકતા ન હોવાથી, તેમને દર વર્ષે આ બલિદાનો ચઢાવવા પડતાં હતાં.   

વેદ પુસ્તકન (બાઇબલ) સમજાવે છે

નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. 
જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. 
પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. 

હિબ્રૂ ૧૦:૧-૩

જો બલિદાનો પાપોને દૂર કરી શકે, તો પછી તેમને પુનરાવર્તન કરવાની કોઈ જરૂર ઊભી ન થાત. પરંતુ તેનું વરસોવરસ પુનરાવર્તન થતું,  તે બતાવે છે કે તેઓ અસરકારક ન હતા. 

પણ જ્યારે ઇસુ ખ્રિસ્તે (ઇસુ સત્સંગ) તેમનું પોતાનું બલિદાન આપ્યું ત્યારે સઘળું બદલાય ગયું.

આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે. 
પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તું કઈ પ્રસન્ન થતો નહોતો. 
તેથી તેમણે કહ્યું,‘હે દેવ, હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.” 

હિબ્રૂ ૧૦:૫-૭

તે પોતાને બલિદાન તરીકે અર્પણ કરવા આવ્યા હતા. અને તેણે તે પ્રમાણે ક

10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. 

હિબ્રૂ ૧૦:૧૦

બે બકરાના બલિદાન, સાંકેતિક રીતે ઇસુના ભાવિ બલિદાન અને વિજય તરફ ધ્યાન દોરતા હતા. તેમણે બલિદાન આપ્યું માટે તેઓ બલિનો બકરો હતા. તેઓ બલિનો બકરો હતા, કેમ કે તેમણે વિશ્વવ્યાપી માનવસમુદાયનાં બધા પાપો પોતાને માથે લીધાં હતાં અને તેઓને આપણાથી દૂર કર્યા, કે જેથી આપણે શુદ્ધ થઈ શકીએ.

શું પ્રાયશ્ચિત દિવસ દુર્ગાપૂજાનું કારણ બન્યું?

ઇઝરાઇલીઓના ઇતિહાસમાં આપણે નોંધ્યું છે કે કેવી રીતે ઇઝરાઇલથી ઇસ્ત્રાએલી લોકો દેશનિકાલ થઈને લગભગ ૭00 બી.સી.થી ભારતમાં આવીને વસવા લાગ્યા. તેઓએ ભારતના શિક્ષણ અને ધર્મમાં ઘણું યોગદાન આપ્યું. આ ઇઝરાયલીઓ દર વર્ષે સાતમા મહિનાના દસમા દિવસે પ્રાયશ્ચિતનો દિવસ ઉજવતા હતા. કદાચ, તેઓએ ભારતની ઘણી ભાષાઓમાં ફાળો આપ્યો હતો, તેમ જ તેઓએ તેમના પ્રાયશ્ચિતના દિવસ દ્વારા દુર્ગાપૂજાની(જે દુષ્ટતા પર એક મહાન વિજયની ઉજવણી) શરુઆત કરવામાં ફાળો આપ્યો હતો. આ બાબતો દુર્ગાપૂજાની ઉજવણીની શરુઆત કે જે લગભગ ૬૦૦ બી.સી માં થઈ તે સમજવામાં મદદ કરે છે.

ક્યારે પ્રાયશ્ચિતના દિવસના બલિદાનો બંધ કરવામાં આવ્યા

આપણા વતી ઈસુ (યેશુ સત્સંગ) નું બલિદાન અસરકારક અને પૂરતું હતું. વધસ્થંભ પર ઇસુના બલિદાન પછી (૩૩ એ. ડી.) બાદ થોડા સમયમાં એટલે કે ૭0 એ.ડી.માં રોમનોએ પરમ પવિત્ર સ્થાન સાથેના મંદિરનો નાશ ક. ત્યારથી યહૂદીઓએ ક્યારેય પ્રાયશ્ચિત દિવસે કોઈ બલિદાન આપ્યું નથી. આજે, યહૂદીઓ આ તહેવારને ઉપવાસના એક સારા દિવસ તરીકે ઉજવે છે. બાઇબલ સમજાવે છે તેમ, એકવાર સંપુર્ણ બલિદાન આપવામાં આવ્યા પછી, હવે વાર્ષિક બલિદાનો ચાલુ રાખવાની જરૂર રહેતી નથી. તેથી ઇશ્વરે તેને બંધ કર્યું.

દુર્ગાપૂજાની પ્રતિમાઓ અને પ્રાયશ્ચિતનો દિવસ

દુર્ગાપૂજાની વિધિમાં દુર્ગાની પ્રતિમામાં પ્રાણ ફ઼ૂંકવામાં આવે છે, કે જેથી દેવ મૂર્તિમાં રહે. પ્રાયશ્ચિત દિવસ દ્વારા આવનાર બલિદાન માટેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને માટે તેમાં કોઈ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આગ્રહ રાખ્યો ન હતો. પરમ પવિત્ર સ્થાનમાં ઇશ્વરની અદ્રશ્ય હાજરી રહેતી હતી અને તેથી ત્યાં કોઈ પ્રતિમાને સ્થાન ન હતું.

પરંતુ સંપુર્ણ બલિદાન કે જે સેંકડો વર્ષોથી ઉજવાતા પ્રાયશ્ચિતના દિવસ દ્વારા અગાઉથી તે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ત્યાં કોઇ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નહી થાય. જેમ વેદ પુસ્તકન (બાઇબલ) સમજાવે છે તે પમાણે:

14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે. 

કોલોસી ૧;૧૫

આ સંપુર્ણ બલિદાનમાં તે માણસ ઈસુ, અદૃશ્ય દેવની પ્રતિમા હતા.

ઉપસંહાર

આપણે વેદ પુસ્તકન (બાઇબલ) દ્વારા સમજી શક્યા છીએ. આપણે જોયું છે કે કેવી રીતે ઇશ્વરે અલગ અલગ ચિહ્નો દ્વારા તેની યોજના પ્રગટ કરી છે. શરૂઆતમાં તેમણે તેમના આવવાની આગાહી કરી. આ પછી ઈબ્રાહિમના, પાસ્ખાપર્વના બલિદાન, અને પ્રાયશ્ચિતના દિવસ બલિદાનને અનુસરવાનું ચાલુ કર્યું. અને ત્યાં ઇસ્રાએલીઓ પર મૂસાના આશીર્વાદ અને શાપ રહ્યા. આ તેમનો ઇતિહાસ રજૂ કરે છે કે ઇઝરાયલીઓ સમગ્ર વિશ્વમાં અને ભારત સુધી પણ વિખેરાઇ ગયા, જે અહીં સમજાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *