આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો અને પ્રાર્થનાને ગેરકાયદેસર ઠેરવી દીધી. તેણે એવો દાવો પણ કર્યો કે તે વિષ્ણુથી શ્રેષ્ઠ છે. ઋષિમુનિઓ અને બ્રાહ્મણો/યાજકોએ તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, એમ કહેતા કે રાજા તરીકે તેમણે શિક્ષણ આપવું જોઈએ અને યોગ્ય ધર્મ માટે દાખલો બેસાડવો જોઈએ, તેને નકારી કાઢીને નહીં. જોકે વેણાએ સાંભળ્યું નહીં. તેથી ધર્મ પુન:સ્થાપિત કરવા માટે પુજારીઓ આતુર બન્યા કારણ કે તેઓ તેને પસ્તાવો કરવા માટે રાજી ન કરી શક્યા, તેથી તેણે ઊભા કરેલ દુષ્ટતાના રાજ્યમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે તેની હત્યા કરી.

તેને લીધે રાજ્ય શાસક વિના છોડી દેવાયું. તેથી પુજારીઓએ રાજાના જમણા હાથને ઘસ્યો અને એક ઉમદા વ્યક્તિ ઉભરી આવ્યો, તેનું નામ પ્રિથુ/પૃથુ હતું. પ્રિથુ ને વેણાના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવી નૈતિક વ્યક્તિ રાજા બનવાની છે અને બ્રહ્મા પણ પ્રિથુના રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત થયા હતા. પ્રિથુના શાસનકાળ દરમિયાન રાજ્યએ સુવર્ણ યુગમાં પ્રવેશ કર્યો

તે સમજાવે છે કે હિબ્રુ ઋષિઓએ યશાયા અને યર્મિયા દ્વારા સમાન દ્વિધાનો સામનો કર્યો હતો. તેઓએ ઇઝરાઇલના રાજાઓને શરૂઆતમાં ઉમદા કાર્ય કરતા અને દસ આજ્ઞાઓના ધર્મને અનુસરતા, પણ પાછળથી ભ્રષ્ટ બનતા જોયા હતા. તેઓએ ભવિષ્યવાણી કરી હતી કે જેમ એક વૃક્ષ કપાય જાય છે તેમ રાજવંશનું પતન થશે. પરંતુ, તેઓએ ભાવિ ઉમદા રાજાની પણ ભવિષ્યવાણી કરી, કે જે એક પડી ગયેલ ઝાડના થડમાંથી એક ડાળી ફ઼ુટી નીકળશે.

વેણાની વાર્તા પુજારીઓ અને રાજાઓ વચ્ચેની અલગ અલગ ભૂમિકાને સ્પષ્ટ રીતે સમજાવે છે. જ્યારે રાજા વેણાને પુજારીઓ દ્વારા હટાવવામાં આવ્યા હતા ત્યારે તેઓએ સત્તા ગ્રહણ કરી નહી કારણ કે તે તેમનો અધિકાર ન હતો. રાજા અને યાજક વચ્ચેની ભૂમિકાની આ જ અલગતા યશાયા અને યિર્મેયાના સમયમાં પણ અમલમાં હતી. આ વાર્તાઓમાં તફાવત એ છે કે પૃથુનું નામ તેમના જન્મ પછી રાખવામાં આવ્યું, જ્યારે આપણે જોઈશું કે હિબ્રુ ઋષિઓએ આવનાર ઉમદા રાજાનું નામ તેમના જન્મના સેંકડો વર્ષ પહેલાં કેવી રીતે રાખ્યું.

યશાયા પ્રથમ આવનારી શાખા વિશે લખ્યું. એક ‘તે’  દાઉદના પતિત વંશમાંથી આવ્યો, જે જ્ઞાન અને સામર્થ્ય ધરાવતો હતો. યર્મિયાએ અનુસરતા જણાવ્યું હતું કે આ શાખા ને પ્રભુ તરીકે ઓળખવામાં આવશે – સર્જનહાર ઇશ્વરનું હિબ્રુ નામ, અને તે આપણું ન્યાયીપણું થશે.

ઝખાર્યા શાખા ચાલુ રાખે છે

બેબીલોનના દેશનિકાલ પછી મંદિરને ફરીથી બાંધવા માટે ઝખાર્યા પાછો ફર્યો

ઋષિ ઝખાર્યા ઇ.સ.પુર્વે ૫૨૦ માં જીવી ગયા, જ્યારે યહૂદીઓ તેમના પ્રથમ દેશનિકાલથી યરૂશાલેમ પાછા ફરવા લાગ્યા. તેઓના પાછા ફર્યા પછી, તેઓએ તેમના નાશ પામેલા મંદિરને ફરીથી બાંધવાનું કાર્ય શરૂ કર્યું. તે સમયે પ્રમુખ યાજકનું નામ યહોશુઆ હતું, અને તે મંદિરના યાજકનું કામ ફરીથી શરૂ કરી રહ્યા હતા. ઋષિ -પ્રબોધક, ઝખાર્યાએ પરત ફરતા યહુદી લોકોનું નેતૃત્વ કરવામાં મુખ્ય યાજક, યહોશુઆ સાથે ભાગીદારી કરી. અહીં પરમેશ્વરે – ઝખાર્યા દ્વારા – આ  યહોશુઆ વિશે કહ્યું:

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.” 

ઝખાર્યા ૩:૮-૯

શાખા! યશાયા દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલ, ૬૦ વર્ષ પહેલાં યર્મિયા ચાલુ રાખ્યું, હવે ઝખાર્યા શાહી રાજવંશ તૂટી ગયો હોવા છતાં પણ ‘શાખા’સાથે આગળ વધે છે. એક વડના ઝાડની જેમ આ શાખા એક મ્રુતપાય થડથી મૂળ ફેલાવીને ચાલુ રહી. આ શાખા હવે ‘મારો સેવક’ – પરમેશ્વરના સેવક તરીકે ઓળખાવામાં આવ્યા. અમુક રીતે ઇ.સ.પુર્વે ૫૨૦ પર યરૂશાલેમમાં મુખ્ય યાજક યહોશુઆ, ઝખાર્યાહના સાથી, આ આવતા શાખાના પ્રતીકાત્મક હતા.

પરંતુ કેવી રીતે?

ઇશ્વર દ્વારા ’એક જ દિવસમાં’ પાપોને કેવી રીતે દૂર કરવામાં આવશે?

શાખા: યાજક અને રાજાને એક કરે છે

સમજવા માટે આપણે જાણવું જોઈએ કે હિબ્રુ વેદોમાં યાજકો અને રાજાની ભૂમિકા સખત રીતે અલગ થઈ હતી. રાજામાંથી કોઈ પણ યાજકો હોઈ શકતા ન હતા, અને યાજકો રાજા ન હોઈ શકે. યાજકની ભૂમિકા ઇશ્વરને અર્પણ કરવાનું અને ઇશ્વર અને માણસ વચ્ચે મધ્યસ્થી કરવાની હતી અને રાજાની જવાબદારી સિંહાસન પરથી ન્યાય સાથે શાસન કરવાની હતી. બંને અગત્યના હતા; બંને અલગ હતા. છતાં ઝખાર્યાએ લખ્યું કે ભવિષ્યમાં:

   9 મંે યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે;
10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા.
11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે.
12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ ‘શાખા’ છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

ઝખાર્યા ૬:૯, ૧૧-૧૩

અગાઉના દાખલાની સામે, ઝખાર્યાના દિવસ માં પ્રમુખ યાજક(યહોશુઆ) ને શાખા તરીકે પ્રતીકાત્મક રીતે રાજાને તાજ પહેરાવવાનો હતો. (યાદ રાખો યહોશુઆ ‘આવનારી બાબતોનો સંકેત’હતો). પ્રમુખ યાજક યહોશુઆ, રાજાને તાજ પહેરાવતા, ભવિષ્યમાં રાજા અને યાજક એક જ વ્યક્તિમાં એક થવાના છે તે અગાઉથી જોયું – એક યાજક રાજાના સિંહાસન પર. વળી આગળ, ઝખાર્યાએ લખ્યું કે ‘યહોશુઆ’ શાખા નું નામ હતું. તેનો અર્થ શું હતો?

નામો યહોશુઆઅને ઈસુ

આપણે બાઇબલ અનુવાદનો કેટલાક ઇતિહાસ જાણવાની જરૂર છે. મૂળ હીબ્રુ વેદનું ગ્રીક ભાષાંતર ઇ.સ.પુર્વે ૨૫૦ માં કરવામાં આવ્યું હતું, અને તેને સપ્તમી અનુવાદ અથવા LXX કહેવામાં આવે છે. તે હજી પણ વ્યાપકપણે વંચાય છે, આપણે જોયું કે કેવી રીતે LXXમાં ‘ખ્રિસ્ત’નો પ્રથમ ઉપયોગ થયો અને અહીં આપણે ‘યહોશુઆ’  માટે તે જ વિશ્લેષણને અનુસરીએ

’યહોશુઆ‘ = ‘ઈસુ‘. બંને હિબ્રુ નામ યોહોશુવામાંથી આવે છે

યહોશુઆ મૂળ હીબ્રુ નામ ‘યોવશુવા’ નું એક [ગુજરાતી] લિપ્યંતર છે. ચતુર્ભુજ નંબર # ૧ બતાવે છે કે કેવી રીતે ઝખાર્યાએ ઇ.સ.પુર્વે ૫૨૦ માં હિબ્રુ ભાષામાં ‘યહોશુઆ’ લખ્યું. તે [ગુજરાતી] (# 1 => # 3) માં યહોશુઆ’ લિપ્યંતરેલું છે. ‘યોવશુવા’ હિબ્રુ ભાષામાં [ગુજરાતી] માં યહોશુઆ જેવું જ છે. જ્યારે LXX નો  ઇ.સ.પુર્વે ૨૫૦ માં હિબ્રુમાંથી ગ્રીકમાં ભાષાંતર કરવામાં આવ્યો ત્યારે યોવશુવાને આઇસુસ (# 1 => # 2) માં લિપ્યંતર કરાયો હતો.  હીબ્રુમાં યોવશુઆ જેવું જ ગ્રીક ભાષામાં આઇસુસ છે. જ્યારે ગ્રીકનું [ગુજરાતી] માં ભાષાંતર કરવામાં આવે છે, ત્યારે આઇસુસ નું ભાષાંતર ‘ઈસુ’ (# 2 => # 3) માં થાય છે. ગ્રીક ભાષામાં આઇસુસ જેવું જ [ગુજરાતી] માં ઈસુ છે.

હિબ્રુ ભાષામાં વાત કરવામાં આવે ત્યારે ઈસુને યોવશુઆ કહેતા, પરંતુ ગ્રીક નવા કરારમાં તેમનું નામ ’આઇસુસ તરીકે લખાયું હતું – જે ગ્રીક જુના કરારમાં LXX માં તે નામ લખ્યું હતું તેજ પ્રમાણે. જ્યારે નવો કરાર ગ્રીકમાંથી ભાષાંતર કરવામાં આવે છે ત્યારે [ગુજરાતી] (# 2 => # 3) ‘આઇસુસ પરિચિત નામ ‘ઈસુ’ માં લિપ્યંતર થાય છે. તેથી નામ ઈસુ = યહોશુઆ, ‘ઈસુ’નામને  મધ્યવર્તી ગ્રીક પગલામાંથી પસાર થય છે, અને ’યહોશુઆ’ સીધા હિબ્રુથી આવ્યું.

સારાંશમાં, નાઝરેથના ઈસુ અને ઇ.સ.પુર્વે ૫૨૦ ના પ્રમુખ યાજક યહોશુઆ બંનેનું નામ એક જ હતું, તેઓને તેમના મૂળ હિબ્રુમાં ‘યોવશુઆ’ કહેવાતા. ગ્રીકમાં, બંનેને ‘આઇસુસ’ કહેવાતા.

નાઝરેથના ઈસુ એક શાખા છે

હવે ઝખાર્યાની ભવિષ્યવાણી અર્થસભર છે. ઇ.સ.પુર્વે ૫૨૦ માં કરવામાં આવેલી આગાહી, એ હતી કે આવતી શાખાનું નામ ઈસુ હશે, જે સીધા નાઝરેથના ઈસુ તરફ ધ્યાન દોરશે.

ઈસુ ‘યશાઇના થડમાંથી’ આવ્યા કારણ કે યશાઇ અને દાઉદ તેના પૂર્વજો હતા. ઈસુ જ્ઞાન અને સામર્થ્ય અને સમજણથી એ કક્ષાએ ભરેલા હતા કે જે તેમને અલગ કરે છે. તેમનું હોશિયારપણું, ધીરગંભીરતા અને સૂઝ ટીકાકારો અને અનુયાયીઓ બંનેને પ્રભાવિત કરે છે. સુવાર્તાઓમાં ચમત્કારો દ્વારા તેમની શક્તિ નિર્વિવાદ છે. કોઇક કદાચ આ બાબતો પર વિશ્વાસ ન કરવાનું પસંદ કરી શકે છે; પરંતુ કોઈ તેમને અવગણી શકે નહીં. યશાયાએ આગાહી કરી હતી કે એક દિવસ આ શાખા માંથી એક અસાધારણ જ્ઞાન અને સામર્થ્યના લક્ષણો ધરાવતા એક આવશે કે જે ઇસુમાં સંપુર્ણ થાય છે.

હવે નાઝરેથના ઈસુના જીવન વિશે વિચારો. તેણે ખરેખર એક રાજા હોવાનો દાવો કર્યો હતો – હકીકતમાં રાજા. આ ‘ખ્રિસ્ત’ નો અર્થ છે. પરંતુ પૃથ્વી પર તેમણે જે કર્યું તે ખરેખર યાજકનું કાર્ય હતું. યાજકો લોકો વતી યથાયોગ્ય બલિદાન આપતા હતા. આમાં ઈસુનું મૃત્યુ એ મહત્વનું હતું, તેમણે તો, આપણા વતી, ઇશ્વરને અર્પણ કર્યું. તેમનું મૃત્યુ કોઈપણ વ્યક્તિના પાપ અને અપરાધ માટે પ્રાયશ્ચિત કરે છે. ઝખાર્યાએ આગાહી કરી હતી તે મુજબ, દેશના પાપો અક્ષરશ: ‘એક જ દિવસમાં’ દૂર થઈ ગયા – જે દિવસે ઈસુ મ્રુત્યુ પામ્યા અને તેમણે બધા પાપો માટે ચૂકવણી કરી. જો કે મોટે ભાગે તેઓ ‘ખ્રિસ્ત’ / રાજા તરીકે ઓળખાય છે; તેમ છતાં તેમના મૃત્યુમાં તેમણે યાજક તરીકેની બધી આવશ્યકતાઓ પૂરી કરી. તેમના પુનરુત્થાનમાં, તેમણે મૃત્યુ પર પોતાની શક્તિ અને અધિકાર પ્રગટ કર્યો. તેઓ બંને ભૂમિકાઓને સાથે લાવ્યા. શાખા, કે જેને લાંબા સમય પહેલા દાઉદે ‘ખ્રિસ્ત’તરીકે ઓળખાવી હતી, તે યાજક/રાજા છે. અને તેના નામની આગાહી તેના જન્મના ૫૦૦ વર્ષ અગાઉ ઝખાર્યાએ કરી હતી.

ભવિષ્યવાણી પુરાવા

તેમના સમયમાં, આજેની જેમ, ઈસુની આસપાસ તેની સત્તા પર પ્રશ્ન પુછનારા તેમના વિરોધીઓ હતા. તેમના જવાબમાં તો અગાઉ આવેલા પ્રબોધકો તરફ઼નો અંગુલીનિર્દેશ હતો, તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓએ તેમના જીવનનું પૂર્વદર્શન કર્યું હતું. અહીં એક ઉદાહરણ છે જ્યાં ઈસુએ તેમનો વિરોધ કરનારાઓને કહ્યું:

…આ મારા વિશે સાક્ષી આપતા સાચે જ એ શાસ્ત્ર વચનો છે… (યોહાન ૫: ૩૯)

બીજા શબ્દોમાં કહીએ તો, ઈસુએ દાવો કર્યો હતો કે સેંકડો વર્ષો પહેલા હિબ્રુ વેદોમાં તેમના જીવન વીશે ભવિષ્યવાણી કરાય હતી. જો કે મનુષ્યની  આંતરદૃષ્ટિમાં સેંકડો વર્ષો અગાઉ ભવિષ્ય વીશે આગાહી કરી શકાય નહીં,ઈસુએ કહ્યું કે આ પુરાવા ખાતરી કરી આપે છે કે તે ખરેખર માનવજાત માટે ઇશ્વરની યોજના તરીકે આવ્યા છે. આને વ્યક્તિગત રૂપે ચકાસવા માટે આજે આપણા માટે હીબ્રુ વેદ ઉપલબ્ધ છે.

હિબ્રુ પયગંબરોએ અત્યાર સુધી જે આગાહી કરી છે તેનો ચાલો આપણે સારાંશ કરીએ. ઈસુના આવવાનો સંકેત માનવ ઇતિહાસની શરૂઆતમાં જ આપ્યો હતો. પછી ઈબ્રાહીમે તે સ્થાનની આગાહી કરી કે જ્યાં ઈસુનું બલિદાન આપવાનું હતું, જ્યારે પાસ્ખાપર્વ એ વર્ષનો દિવસ ભાખ્યો હતો. આપણે ગીતશાસ્ત્ર ૨ માં જોયું હતું કે જ્યાં ‘ખ્રિસ્ત’ શીર્ષક આવનાર રાજા વીષેની આગાહી કરે છે. આપણે હમણાં જ જોયું કે તેમના વંશ, યાજક તરીકેની કારકીર્દિ અને તેમના નામની આગાહી કરવામાં આવી હતી. શું તમે ઇતિહાસમાં બીજા કોઈના વિશે વિચારી શકો છો કે જેમના જીવન વીશે એકાદ દુરની આગાહી પણ કરવામાં આવી હોય કે જેટલી ઘણા પ્રબોધકો દ્વારા નાઝરેથના ઈસુ વીશે કરવામાં આવી હતી?

નિષ્કર્ષ: જીવનનું વૃક્ષ બધાને માટે આપેલ છે

એક વડના ઝાડની જેમ અમર અને ટકાઉ વૃક્ષનું ચિત્ર, બાઇબલના છેલ્લા અધ્યાય સુધી ચાલુ છે, જે ભવિષ્યમાં, આવનાર જગતમાં ’જીવનની પાણીની નદી’ સાથેની આગાહી કરે છે તે જોઇ શકીએ છીએ,  જ્યાં

 2 તે શહેરની શેરીની મધ્યમાંથી વહે છે. જીવનનું વૃક્ષ નદીની બન્ને બાજુ પર હતું. જીવનનું વૃક્ષ વર્ષમાં બાર વખત ફળ આપે છે. તે પ્રતિ માસ ફળ આપે છે. તે વૃક્ષનાં પાંદડાઓ બધા લોકોને સાજા કરવા માટે છે.

પ્રકટીકરણ ૨૨:૨

તમામ દેશોના લોકોને-તમારો પણ સમાવેશ થાય છે- તે બંને એટલે કે મૃત્યુમાંથી મુક્તિ અને જીવનના વૃક્ષના ભરપુરીપણાનો અનુભવ કરવા આમંત્રણ અપાયું છે – સાચે જ અમર વડનું વૃક્ષ. પરંતુ હિબ્રુ પ્રબોધકો ભવિષ્યવાણી કરે છે કે તે જોઇએ તે પહેલાં આગળ કેવી રીતે શાખાને ‘કાપી નાખવી’જોઈએ, તે આગળ ઉપર આપણે જોઈશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *