સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ

મે કૃષ્ણના જન્મ દ્વારા ઈસુના જન્મ (યેશુ સત્સંગ) ની તપાસ કરી. પૌરાણિક કથાઓ નોંધે છે કે કૃષ્ણને મોટો ભાઈ બલારામ (બલરામ) હતો. નંદ કૃષ્ણના પાલક પિતા હતા જેમણે બાલારામને પણ કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઉછેર્યા હતા. મહાકાવ્યોમાં કૃષ્ણ અને બલારામ ભાઈઓએ સાથે મળીને યુદ્ધમાં વિવિધ આસુરોને પરાજિત કર્યા તેવી બાળપણની ઘણી વાર્તાઓ કહે છે. કૃષ્ણ અને બલરામે તેમના સમાન ધ્યેય-અનિષ્ટને હરાવવું ને પૂર્ણ કરવા માટે ભાગીદારી કરી.

ઈસુ અને યોહાન, કૃષ્ણ અને બલરામ જેવા

કૃષ્ણની જેમ, યોહાન, પણ ઈસુની નજીકનો સબંધી હતો, જેની સાથે તેમણે પોતાનું મિશન વહેંચ્યું. ઈસુ અને યોહાન તેમની માતા દ્વારા સંબંધિત હતા અને ઇસુના ફક્ત ૩ મહિના પહેલા યોહાનનો જન્મ થયો હતો. સુવાર્તામાં પ્રથમ યોહાનને પ્રકાશિત કરીને ત્યાર બાદ ઈસુના શિક્ષણ અને સાજાપણાના કાર્યની નોંધ લેવામાં આવી છે. જો આપણે પ્રથમ યોહાનના ઉપદેશને સમજીશું નહીં તો આપણે ઈસુના મિશનને સમજી શકીશું નહી. યોહાને સુવાર્તાના પ્રારંભિક મુદ્દાઓ તરીકે પસ્તાવો (પ્રાયશ્ચિત) અને શુધ્ધિકરણ (પોતાનો અભિષેક) શીખવવાની કોશિશ કરી.

યોહાન બાપ્તિસ્મી: આવનાર સ્વામી, આપણને તૈયાર થવા માટેની ભવિષ્યવાણી કરી

સુવાર્તાઓમાં ઘણીવાર ‘યોહાન બાપ્તિસ્મી’તરીકે ઓળખાતા કારણ કે તેમણે પસ્તાવો (પ્રાયશ્ચિત), ના ચિન્હ તરીકે શુદ્ધિકરણ પર ભાર મૂક્યો, યોહાનના આગમન વિશે સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન હીબ્રુ વેદમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

3 કોઇનો સાદ સંભળાય છે: “મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો; આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો. અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે અને સમગ્ર માનવજાત તે જોવા પામશે. આ યહોવાના મુખના વચન છે.”

યશાયા ૪૦: ૩-૫

યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે કોઈ એક ઈશ્વર માટે ‘રસ્તો તૈયાર કરવા’ અરણ્યમાં આવશે. તે અવરોધોને દૂર કરી માર્ગ સરળ બનાવશે જેથી ‘ઈશ્વર નો મહિમા પ્રગટ થાય’.

ઐતિહાસિક સમયરેખામાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો). ઈસુ પહેલા માલાખી છેલ્લો હતો

યશાયાના લખ્યા બાદ, ૩૦૦ વર્ષ પછી હિબ્રુ વેદ (જુના કરાર) નું છેલ્લું પુસ્તક માલાખીએ લખ્યું. માલાખીએ આ આવનાર માર્ગ તૈયાર કરનાર વિશે યશાયાએ જે કહ્યું હતું તેના પર વિસ્તૃત વર્ણન કર્યું. તેમણે ભવિષ્યવાણી કરી:

ન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.

માલાખી ૩: ૧

મીખાહે ભવિષ્યવાણી કરી કે તૈયારી કરનાર ‘સંદેશવાહક’ આવ્યા પછી, ઈશ્વર પોતે તેમના મંદિરમાં દેખાશે. આ ઈસુ કે જે ’ઈશ્વર અવતાર’ હતા તેમના સંબંધિત કહેવામાં આવ્યુ કે જે યોહાન પછી આવનાર છે.

યોહાન એક સ્વામી

સુવાર્તા યોહાન વિશે નોંધે છે:

80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર    

રહ્યો.લુક ૧:૮૦   

જ્યારે તે અરણ્યમાં રહેતા હતા ત્યારે:

4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો.

માથ્થી  ૩:૪

બલારામમાં મહાન શારીરિક શક્તિ હતી. યોહાનની મહાન માનસિક અને આધ્યાત્મિક શક્તિએ તેમને લગભગ બાળપણથી જ વાનપ્રસ્થ (વનવાસી) આશ્રમ તરફ દોર્યા હતા. તેમની પ્રબળ ભાવનાથી તેઓ નિવૃત્તિ માટે નહીં પણ તેમની મિશન માટેની તૈયારી માટે વાનપ્રસ્થી તરીકે તે પ્રમાણેના વસ્ત્ર અને ખોરાક લેવા તરફ દોરાયા. તેમની અરણ્યની જિંદગીએ તેમને પોતાના સ્વને ઓળખવા માટે કેળવ્યા, તે સમજ્યા કે કેવી રીતે પરીક્ષણનો પ્રતિકાર કરવો. તેમણે સ્પષ્ટપણે ભાર મૂક્યો કે તે અવતાર નથી, અથવા તે મંદિરના પૂજારી પણ નથી. તેમની આત્મ-સમજણને લીધે તે બધા લોકોએ તેમને એક મહાન શિક્ષક તરીકે સ્વીકાર્યા. જો કે સ્વામી સંસ્કૃત (स्वामी) માંથી આવેલો શબ્દ છે જેનો અર્થ છે ‘જે પોતાને જાણે છે અથવા પોતાના સ્વ પર અંકુશ ધરાવે છે’, તેથી યોહાનને એક સ્વામી માનવા યોગ્ય છે.

યોહાન એક સ્વામી- ઇતિહાસમાં નિશ્ચિત સ્થાને મૂકવામાં આવ્યા

સુવાર્તા નોંધે છે:

તિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15 માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો. ગાલીલ પર હેરોદ; ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ, લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો.

લુક ૩:૧-૨

અહીં યોહાનનું મિશન કાર્ય શરૂ થાય છે અને તે તેને ઘણા જાણીતા ઐતિહાસિક લોકોની હરોળમાં મુકે છે. તે સમયના શાસકોના વિસ્તૃત સંદર્ભની નોંધ લો. આ આપણને સુવાર્તામાંના લખાણની ચોકસાઈ ઐતિહાસિક રૂપે તપાસવાની મંજૂરી આપે છે. આમ કરવાથી આપણને લાગે છે કે તિબેરિયસ કૈસર, પોંતિયુસ પિલાત, હેરોદ, ફિલિપ, લુસાનિયાસ, અન્નાસ અને કાયાફા એ બધા લોકો છે જે ધર્મનિરપેક્ષ રોમન અને યહૂદી ઇતિહાસકારોમાં જાણીતા છે. વિવિધ શાસકોને જુદી જુદી પદવીઓ આપવામાં આવે છે (દા.ત. પોંતિયુસ પિલાત માટે ‘ગવર્નર’, હેરોદ માટે ’સુબો’ વગેરે) તેની ચકાસણી કરતાં તે ઐતિહાસિક રીતે સાચી અને સચોટ પુરવાર થઇ છે. આમ આપણે તપાસ કરી શકીએ કે આ લખાણ વિશ્વસનીય રૂપે નોંધાયું  હતું.

તિબેરિયસ કૈસર ઇ.સ.૧૪ માં રોમની રાજગાદી પર બેઠા. તેમના શાસનના ૧૫ મા વર્ષનો અર્થ એ છે કે યોહાને ઇ.સ ૨૯ મી સાલમાં તેમના મિશનની શરૂઆત કરી.

સ્વામી યોહાનનો સંદેશ – પસ્તાવો અને કબૂલાત

યોહાનનો સંદેશ શું હતો? તેમની જીવનશૈલીની જેમ, તેમનો સંદેશ પણ સરળ પરંતુ પ્રભાવશાળી હતો. સુવાર્તા કહે છે:

મયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ.
2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.”

માથ્થી ૩:૧-૨

તેમનો સંદેશ પ્રથમ એક હકીકતની ઘોષણા હતી કે – સ્વર્ગનું રાજ્ય ‘પાસે’આવ્યું છે. પરંતુ જ્યાં સુધી લોકો ‘પસ્તાવો ન કરે’ ત્યાં સુધી તેઓ આ રાજ્ય માટે તૈયાર નહીં હોય. હકીકતમાં,જો તેઓ ‘પસ્તાવો ન કરે’ તો તેઓ આ રાજ્ય ગુમાવશે. પસ્તાવો એટલે “તમારા મનનું બદલાણ; નવિન રીતે વિચારવું; જુદી રીતે વિચારવું.” એક અર્થમાં તે પ્રાયસશ્તિ (પ્રાયશ્ચિત) જેવું છે. પરંતુ તેઓ શાના વિશે અલગ વિચારતા હતા? યોહાનના સંદેશના પ્રતિભાવરૂપે  આપણે જોઈ શકીએ છીએ. લોકોએ તેના સંદેશનો જવાબ આપ્યો:

6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.

માથ્થી ૩:૬

આપણું કુદરતી વલણ આપણા પાપોને છુપાવવા અને આપણે ખોટું કર્યું નથી એવો ઢોંગ કરવાનું છે. આપણા પાપોની કબૂલાત કરવી અને પસ્તાવો કરવો આપણા માટે લગભગ અશક્ય છે કારણ કે તે આપણને દોષિત અને શરમજનક બનાવે છે. યોહાને ઉપદેશ આપ્યો કે ઈશ્વરના રાજ્ય માટે પોતાને તૈયાર કરવા લોકોને પસ્તાવો(પ્રાયશ્ચિત) કરવાની જરૂર છે.

આ પસ્તાવાની નિશાની તરીકે તેઓએ પછી નદીમાં યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું હતું. બાપ્તિસ્મા એ પાણીથી ધોવા અથવા સાફ કરવાની વિધિ હતી. જેમ લોકો કપ અને વાસણોને વિધિપૂર્વક શુદ્ધ રાખવા માટે ‘બાપ્તિસ્મા’ (ધોતા) આપતા. અભિષેક (અભિષેકા) માં, પુજારીઓ દ્વારા શુધ્ધિકરણ અને તહેવારોની તૈયારીમાં મુર્તિઓને વિધિપૂર્વક નવડાવવામાં આવે છે તેનાથી આપણે પરિચિત છીએ. મનુષ્યોને ‘ઈશ્વરની પ્રતીમા’ માં ઉત્પન્ન કરવામાં આવ્યા અને તેથી યોહાનનું ધાર્મિક નદી સ્નાન એ અભિષેક જેવું હતું કે જે સાંકેતિક અર્થમાં ઈશ્વરની પ્રતીમા સ્વરુપ પસ્તાવો કરનારને સ્વર્ગના રાજ્ય માટે તૈયાર કરે છે. આજે બાપ્તિસ્માને સામાન્ય રીતે એક ખ્રિસ્તી પ્રથા માનવામાં આવે છે, પરંતુ અહીં તેનો ઉપયોગ વ્યાપક સ્વરુપનો હતો કે જ્યાં આ શુધ્ધિકરણ ઈશ્વરના રાજ્યની તૈયારી સૂચવે છે.

પ્રાયશ્ચિતનું ફ઼ળ

ઘણા લોકો બાપ્તિસ્મા માટે યોહાન પાસે આવ્યા, પરંતુ બધાએ પ્રામાણિકપણે સ્વીકાર્યું નહીં અને તેમના પાપોની કબૂલાત કરી નહીં. સુવાર્તા કહે છે:

7 ફરોશીઓઅને સદૂકીઓતે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે?
8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે.
9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે.
10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષજે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી

દેશે.માથ્થી ૩:૭-૧૦

ફરોશીઓ અને સદૂકીઓ મૂસાના નિયમશાસ્ત્ર ના શિક્ષકો હતા, તેઓ નિયમશાસ્ત્રનું  ધાર્મિક પાલન થાય માટે સખત ધ્યાન રાખતા હતા. દરેકે વિચાર્યું કે આ આગેવાનો, તેમના ધાર્મિક શિક્ષણ અને યોગ્યતા વડે ઈશ્વર દ્વારા માન્ય થાય છે. પરંતુ યોહાન તેમને એક ‘સર્પોના વંશ’ કહે છે અને તેઓ પર આવનાર ન્યાયશાસન વિશે ચેતવણી આપે છે.

કેમ?

તેઓએ ‘પસ્તાવો કરીને ફળ આપ્યું’ નહીં તે બાબત બતાવે છે કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો નથી. તેઓએ તેમના પાપની કબૂલાત કરી ન હતી પરંતુ તેમના પાપો છુપાવવા માટે તેમના ધાર્મિકજીવનના પાલનનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમનો ધાર્મિક વારસો ભલે સારો હતો છતાં, તેમને પસ્તાવો કરવાને બદલે અભિમાની બનાવ્યા હ્તા.

પસ્તાવાના ફળ

કબૂલાત અને પસ્તાવા સાથે અલગ પ્રકારનું જીવન જીવવાની અપેક્ષા રાખવામાં આવી. લોકોએ યોહાનને પૂછ્યું કે આ બાબતમાં તેઓએ કેવી રીતે પસ્તાવો કરવો જોઈએ:

10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”

લુક 3:૧૦-૧૪

શું યોહાન ખ્રિસ્ત હતા?

તેમના સંદેશના પ્રભાવને કારણે, ઘણા લોકોને લાગ્યું કે કદાચ યોહાન મસીહ છે, કે જેને માટે પ્રાચીન સમયથી વચન આપવામાં આપ્યું હતું કે તે ઇશ્વરના અવતાર તરીકે આવશે. સુવાર્તા આ બાબતની નોંધ લે છે:

15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.”
18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.

લુક ૩:૧૫-૧૮

યોહાને તેમને કહ્યું કે મસિહ (ખ્રિસ્ત) ટૂંક સમયમાં આવી રહ્યા છે, જેનો અર્થ ઈસુ થાય છે.

સ્વામી યોહાનનું મિશન અને આપણે

યોહાને ઈસુ સાથે રહીને ઈશ્વરના રાજ્ય માટે લોકોને તૈયાર કરીને ભાગીદારી કરી હતી, જેવી રીતે બલારામે કૃષ્ણ સાથે દુષ્ટતા સામેના તેમના મિશનમાં ભાગીદારી કરી હતી. યોહાને તેઓ પર વધુ નિયમો લાદીને તૈયાર ન કર્યા, પરંતુ તેમને તેમના પાપોનો પસ્તાવો (પ્રાયશ્ચિત) કરવા બોલાવીને અને તેમના આંતરિક પસ્તાવાને જાહેર કરવા માટે હવે તેઓ વિધિવત રીતે નદીમાં સ્નાન (સ્વ-અભિષેક) કરવા તૈયાર થયા.

જો કે કડક તપસ્વી નિયમો અપનાવવા કરતાં પસ્તાવો કરવો અઘરુ કામ છે કારણ કે તે આપણી શરમ અને અપરાધને બહાર લાવે છે. આ ધાર્મિક નેતાઓ પછી પસ્તાવો કરવા માટે પોતાની જાતને લાવી શક્યા નહીં. તેના બદલે તેઓ તેમના પાપો છુપાવવા માટે ધર્મનો ઉપયોગ કરતા. તે પ્રકારની પસંદગીને કારણે જ્યારે ઈસુ આવ્યા ત્યારે તેઓ ઈશ્વરના રાજ્યને સમજવા માટે તૈયાર ન હતા. યોહાનની ચેતવણી આજે પણ એટલી જ અનુરુપ છે. તે ઇચ્છે છે કે આપણે આપણા પાપનો પસ્તાવો કરીએ. શું આપણે કરીશું?

શેતાન દ્વારા પરીક્ષણ થયુ ત્યારે આપણે ઈસુ એક વ્યક્તિ સંબંધી વધારે માહિતી મેળવવાનું ચાલુ રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *