જીવતું પાણી: ગંગા તીર્થની દ્રષ્ટી

જો કોઈ ઈશ્વરને પ્રાપ્ત કરવાની આશા રાખે તો અસરકારક તીર્થ આવશ્યક છે. તીર્થ (સંસ્કૃત तीर्थ) નો અર્થ છે “એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, સામે કાંઠે જવું”, અને તે કોઈપણ જગ્યા, શાસ્ત્ર અથવા વ્યક્તિ કે જે પવિત્ર છે તેનો ઉલ્લેખ કરે છે. તીર્થ એ બે અલગ અલગ દુનીયા વચ્ચેનો પવિત્ર સંગમ છે કે જ્યાં એકબીજાનો મેળાપ થાય છે અને તેમ છતાં એકબીજાથી જુદા છે. વૈદિક ગ્રંથોમાં, તીર્થ (અથવા ક્ષેત્ર, ગોપીઠ અને મહાલય) એ પવિત્ર વ્યક્તિ અથવા પવિત્ર લખાણનો ઉલ્લેખ કરે છે, જે એક અસ્તિત્વની અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા સંક્રમણને પ્રેરણા આપી શકે છે.

તીર્થ-યાત્રાતીર્થ સાથે સંકળાયેલ મુસાફ઼રી છે

આપણા આંતરિક જીવનનું નવીનિકરણ અને શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે આપણે તીર્થ-યાત્રાઓ કરીએ છીએ, અને યાત્રામાં આધ્યાત્મિક યોગ્યતા હોવાને કારણે વૈદિક ગ્રંથોમાં તેને સમર્થન આપવામાં આવ્યું છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તીર્થ-યાત્રા પાપોથી છૂટકારો આપી શકે છે. તીર્થ-યાત્રાઓ આંતરિક ધ્યાનની યાત્રાઓથી માંડીને વ્યક્તિગત રૂપે પ્રખ્યાત મંદિરોની યાત્રે જવું અથવા ગંગા જેવી નદીઓમાં સ્નાન કરવા સુધીની સંભાવનાનો સમાવેશ કરે છે, જે કદાચ સૌથી મહત્વપૂર્ણ તીર્થ ધામ છે. પાણી એ ભારતીય પરંપરાનું સૌથી પવિત્ર પ્રતીક છે, ખાસ કરીને ગંગાનુ પાણી. ગંગા નદીની દેવી ગંગા માતા તરીકે આદરણીય છે.

તીર્થ તરીકે ગંગા જળ

ગંગા તેના સર્વ માર્ગમાં પવિત્ર ગણાય છે. દૈનિક ધાર્મિક વિધિઓ, દંતકથાઓ, ભક્તિની રીતો અને ગંગા દેવીની શક્તિ અને તેના જીવંત પાણી સંબંધીની માન્યતાઓ આજે ​​પણ ભક્તિનું કેન્દ્ર છે. ઘણી મરણોત્તર વિધિમાં ગંગા જળની જરૂર પડે છે. ગંગા આમ જીવતા અને મૃતકો વચ્ચે તીર્થ છે. ગંગા ત્રણ વિશ્વમાં વહેતી હોવાનું કહેવામાં આવે છે: સ્વર્ગ, પૃથ્વી અને નર્ક, જેને ત્રિલોક-પથ-ગામિની તરીકે ઓળખવામાં આવે છે. આમ તે ગંગાના ત્રિસ્થલી (“ત્રણ સ્થળો”) છે જ્યાં સામાન્ય રીતે શ્રાદ્ધ અને વિસર્જન કરવામાં આવે છે. ઘણા તેમની રાખ ગંગા નદીમાં પધરાવવાની ઇચ્છા રાખે છે.

પર્વતોમાં ગંગા નદી

ગંગાની પૌરાણિક કથા

શિવ, ગંગાધર અથવા “ગંગાના વાહક”, ગંગાના સાથી હોવાનું કહેવાય છે. વૈદિક ગ્રંથોમાં ગંગાના અવરોહણમાં શિવની ભૂમિકા વિશે જણાવ્યું છે. જ્યારે ગંગા પૃથ્વી પર ઉતરી હતી, ત્યારે શિવાએ તેને તેના માથા પર ઉતારવાનું વચન આપ્યું હતું જેથી પૃથ્વી છીન્નભીન્ન થાય નહીં. જ્યારે ગંગા શિવના માથા પર પડી ત્યારે શિવના વાળથી તેના પતનને વિભાજીત કરીને ગંગાને સાત પ્રવાહોમાં વિખેરી નાખ્યાં, આ પ્રત્યેક પ્રવાહો ભારતના જુદા જુદા ભાગમાં વહી રહ્યા છે. તેથી, જો કોઈ ગંગા નદીની યાત્રા ન કરી શકે, તો ગંગા જેવી શુદ્ધતા ધરાવતી બીજી નદીઓ યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી જેવા આ અન્ય પવિત્ર પ્રવાહોની યાત્રા કરી શકે છે.

ગંગાના અવરોહણને અવિરત માનવામાં આવે છે; ગંગાના પાણીની દરેક લહેર પૃથ્વીને સ્પર્શ કરતા પહેલાં શિવના માથાને સ્પર્શે છે. ગંગા એ શિવની શક્તિ અથવા તાકાતનું પ્રવાહી સ્વરૂપ છે. પ્રવાહી શક્તિ  હોવાને કારણે, ગંગા ઈશ્વરનો અવતાર છે, ઈશ્વરનો દૈવી અવતાર છે, સર્વને માટે મુક્તપણે વહે છે. તેના ઉતાર પછી, ગંગા શિવનું વાહન બની ગયું, તેના હાથમાં કુંભ  (પુષ્કળ ફૂલદાની) પકડીને તેના વહન (વાહન) મગર (મકર) ની પીઠ પર બેસતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

ગંગા દશહારા

દર વર્ષે, ગંગા દશહારાનો તહેવાર ગંગાને સમર્પિત આ પૌરાણિક કથાઓ પર ઉજવવામાં આવે છે. આ તહેવાર મે અને જૂનમાં દસ દિવસ સુધી ચાલે છે, જેની પૂર્ણાહુતિ જ્યેષ્ઠ મહિનાના દસમા દિવસે થાય છે. આ દિવસે સ્વર્ગથી પૃથ્વી સુધી ગંગાના અવરોહણને (અવતાર) ને ઉજવવામાં આવે છે. તે દિવસે ગંગાના પાણી અથવા અન્ય પવિત્ર પ્રવાહોમાં ત્વરીત ડૂબકી મારવાથી દસ પાપ (દશહર) અથવા દસ જીવનકાળના પાપોમાંથી છુટકારો મળે છે.

ઈસુ: તીર્થ તમને જીવતું પાણી આપે છે

ઈસુએ પોતાનું વર્ણન કરવા માટે આ જ વિચારોનો ઉપયોગ કર્યો. તેમણે જાહેર કર્યું કે તે ‘જીવતું પાણી”  છે અને તે ‘શાશ્વત જીવન આપે છે.’ આ તેમણે પાપમાં ફસાયેલી સ્ત્રીને કહ્યું અને તેથી એવી જ સ્થિતિમાં હોવાથી આપણા બધાને માટે પણ તે ઈચ્છે છે. ખરેખર, તેઓ કહેતા હતા કે તે તીર્થ છે અને સૌથી મહત્વપૂર્ણ તીર્થ-યાત્રા આપણે તેમની પાસે આવીએ તે છે. આ સ્ત્રીએ અનુભવ્યું કે તેના ફક્ત દસ જ નહીં, પણ બધા પાપો, એકીવેળાએ જ શુદ્ધ થયા છે. જો તમે તેની  શુદ્ધિકરણની શક્તિ માટે ગંગાનું પાણી મેળવવા માટે લાંબી મુસાફરી કરો છો, તો પછી ઈસુ જે ‘જીવતુ પાણી” આપે છે તેને સમજો. તમારે આ પાણી માટે જગિક મુસાફરી કરવાની જરૂર નથી, પરંતુ જેમ  સ્ત્રીને પ્રાપ્ત થયું, તેમ તેમનું પાણી તમને શુદ્ધ કરી શકે તે પહેલાં તમારે આંતરિક શુધ્ધતા માટે આત્મ-સાક્ષાત્કારની યાત્રા કરવી પડશે.

સુવાર્તા આ સામનો કરતા અનુભવને નોંધે છે:

ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે

ગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો.
2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો.
3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.
4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.
5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
6 ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
7 યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.
8 યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો.
9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.
11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ.
12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”
16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.
17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.
18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”
20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3
24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા.
25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી.
27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’
31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”
32 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે. યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો.
33
34 તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.”‘
35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા.
36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”
37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા.
38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)
39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.
40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનોભાઈ હતો.
41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)
42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, ‘તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે. (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)

યોહાન ૪:૧-૪૨

ઈસુએ બે કારણોસર પાણી માંગ્યું. પ્રથમ, તે તરસ્યા હતા. પરંતુ તે (રૂષિ હોવાથી) જાણતા હતા કે તે સ્ત્રી પણ અલગ  અર્થમાં સંપૂર્ણપણે તરસી હતી. તેણીને તેના જીવનમાં સંતોષ પ્રાપ્તી માટેની તરસ હતી. તેણે વિચાર્યું કે તે પરપુરુષો સાથે અયોગ્ય સંબંધો રાખીને આ તરસને સંતોષી શકે છે. તેથી તેણીના ઘણા પતિ હતા અને તેણી જ્યારે ઈસુ સાથે વાત કરતી હતી તે વખતે પણ તે એક એવા પુરુષ સાથે રહેતી હતી જે તેનો પતિ ન હતો. તેના પડોશીઓ તેને અનૈતિક સ્ત્રી તરીકે જોતા. આ જ કારણથી તે બપોરના સમયે પાણી લેવા એકલી ગઈ હતી કારણકે ગામની અન્ય મહિલાઓ સવારની ઠંડા પહોરે કૂવા ઉપર પાણી ભરવા જાય ત્યારે તેણી તેઓની સાથે જાય તેમ ઈચ્છતી ન હતી. આ સ્ત્રીના ઘણા પુરુષો હતા, અને તેથી તે ગામની અન્ય મહિલાઓથી પોતાને અલિપ્ત રાખતી હતી.

ઈસુએ તરસના વિષયનો ઉપયોગ કર્યો જેથી તેણી સમજી શકે કે તેના પાપનું મૂળ તેના જીવનમાં રહેલી એક ઊંડી તરસ હતી – જે તરસને છીપાવવી ખુબજ જરુરી હતું. તેઓ તેણીને (અને આપણને) પણ જાહેર કરતા હતા કે જે અતૃપ્તિ આસાનીથી આપણને પાપ તરફ દોરી જાય છે તેમાંથી છોડાવીને છેવટે ફક્ત તેઓ જ આપણી આંતરિક તરસને છીપાવી શકે છે.

માનવું – સત્યની કબૂલાત કરવી

પરંતુ ‘જીવંત પાણી’ આપવાના આમંત્રણે મહિલાને મુશ્કેલીમાં મુકી દીધી. જ્યારે ઈસુએ તેણીને તેના પતિને તેડી લાવવાનું કહ્યું ત્યારે તેમણે હેતુંપૂર્વક આ બાબત કહી કે જેથી આ સ્ત્રી તેના પાપને ઓળખી ને સ્વીકારે શકે અને – તેની કબૂલાત કરવા કારણભુત બને. આપણે કોઇ પણ કિંમતે આવું ટાળવા કોશીષ કરીએ છીએ! આપણે આપણાં પાપ છુપાવવાનું પસંદ કરીએ છીએ, કોઈ જોશે નહીં એવી આશા રાખીએ છીએ. અથવા આપણે દલીલ કરીએ છીએ, આપણા પાપનું બહાનું બનાવીએ છીએ. પરંતુ જો આપણે ઈશ્વરની વાસ્તવિકતા કે જે આપણને ‘શાશ્વત જીવન” તરફ દોરી જાય છે તેનો અનુભવ કરવા માગતા હોય, તો આપણે પ્રામાણિક બનવું જોઈએ અને આપણા પાપને સ્વીકારવું જોઈએ, કારણ કે સુવાર્તા વચન આપે છે કે:

8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.
9 પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે.

૧ યોહાન ૧:૮-૯

આ કારણસર, જ્યારે ઈસુએ સમરૂની સ્ત્રીને કહ્યું કે

24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”

યોહાન ૪:૨૪

 ‘સત્ય’ એટલે કે તેનો અર્થ આપણે આપણી જાત વિશે સાચા બનવાનો હતો, નહિ કે આપણા ખોટાને છુપાવવાનો કે બહાનુ કાઢવાનો. અદભૂત સમાચાર એ છે કે ઈશ્વર ‘શોધે’છે અને આ પ્રકારની પ્રામાણિકતા સાથે આવનારા ભક્તોથી તે પોતે માં નહીં ફ઼ેરવી લે – પછી ભલે તેઓ કેટલા પણ અશુદ્ધ થઈ ગયા હોય.

પરંતુ તેણીને માટે તેનું પોતાનું પાપ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું. તેને છુપાવવા માટેની એક અનુકૂળ રીત એ છે કે ચર્ચાના વિષયને બદલી નાખવો એટલે કે આપણા પાપ વિષયને ધાર્મિક વિવાદમાં ફેરવવો નાખવો. વિશ્વમાં હંમેશાં ઘણા ધાર્મિક વિવાદો થતા હોય છે. તે દિવસોમાં સમરૂનીઓ અને યહૂદીઓ વચ્ચે કયું ભજન કરવાનું સ્થળ વધારે યોગ્ય છે તે માટે ધાર્મિક વિવાદ ચાલતો હતો. યહૂદીઓ કહેતા કે યરૂશાલેમમાં ભજન થવુ જોઈએ અને સમરૂનીઓ કહેતા હ્તા કે તે બીજા પર્વત પર થવું જોઈએ. તેણી આ વાતચીતને ધાર્મિક વિવાદ તરફ઼ ફ઼ેરવીને તેના પાપ વિષય્ને દૂર રાખવાની આશામાં હતી. તે હવે તેના પાપને તેના ધર્મના ઓથા પાછળ છુપાવી શકતી હતી.

આપણે પણ કેટલી સરળતાથી અને કુદરતી રીતે આ પ્રમાણે કરતા હોઇએ છીએ – ખાસ કરીને જો આપણે ધાર્મિક છીએ તો. પછી આપણે ન્યાય કરી શકીએ છીએ કે અન્ય લોકો કેવી રીતે ખોટા છે અથવા આપણે કેવી રીતે સાચા છીએ – તેમ કરવા દ્વારા આપણે આપણા પાપોની કબૂલાત કરવાની જરૂરિયાતને અવગણી રહ્યા હોઇએ છીએ.

ઈસુએ તેની સાથેના આ વિવાદને આગળ વધાર્યો નહીં. તેમણે ભાર મુક્યો કે ભજનસ્થળ એટલું અગત્યનું નથી, પરંતુ ભજનમાં પોતાની પ્રામાણિકતા તે મહત્વની છે. તેણી ઈશ્વરની સમક્ષતામાં ગમે ત્યાં આવી શકે છે (કેમ કે ઈશ્વર તે આત્મા છે), પરંતુ તેણી આ ‘જીવતું પાણી’  પ્રાપ્ત કરે તે પહેલાં તેણે પોતેને પ્રામાણિક આત્મ-અનુભૂતિ કરવાની જરૂર હતી.

આ નિર્ણય આપણે બધાએ લેવો જ જોઇએ

તેથી તેણીએ આ એક મહત્વનો નિર્ણય કરવાનો હતો. તેણી કોઈ ધાર્મિક વિવાદ પાછળ સંતાઈ રહે અથવા તે તેને છોડી શકે છે. પરંતુ આખરે તેણીએ પોતાના પાપને સ્વીકારવાનું અને – કબૂલ કરવાનું – પસંદ કર્યું  એટલે સુધી કે તેણી પોતાના ગામમાં પાછી ગઈ જેથી બીજાઓને તે  જણાવી શકે કે કેવી રીતે આ ઋષિ તેને જાણી શક્યા કે તેણે પોતે શું કર્યુ હતું. તે હવે વધુ પોતાની જાતને છુપાવી રાખી શકી નહીં. આમ કરવા દ્વારા તે ‘વિશ્વાસી’ બની ગઈ. તે અગાઉ પૂજા અને ધાર્મિક વિધિ કરતી હતી, પરંતુ હવે તે – અને તેના ગામના – લોકો ‘વિશ્વાસીઓ’ બની ગયા.

વિશ્વાસી બનવું એટ્લે ફક્ત માનસિક રીતે સાચા ઉપદેશ સાથે સહમત થવું એ નથી – જો કે તે મહત્વપૂર્ણ છે. તે માનવાની બાબત છે કે તેના દયાના વચન પર વિશ્વાસ કરી શકાય છે, અને તેથી તમે હવે પાપને છુપાવી રાખી શકતા નથી. આ તે બાબત છે કે જે ખુબજ લાંબા સમય પહેલા ઇબ્રાહીમે આપણા માટે નમૂનો મૂક્યો હતો – તેણે વચન પર વિશ્વાસ કર્યો.

શું તમે બહાનું કાઢો છો અથવા તમારા પાપ છુપાવો છો? શું તમે તેને શ્રદ્ધાળુ ધાર્મિક વ્યવહાર અથવા ધાર્મિક વિવાદના ઓથા પાછળ છુપાવો છો? અથવા તો તમે તમારા પાપની કબૂલાત કરો છો? આપણા ઉત્પન્નકર્તા સમક્ષ શા માટે ન આવો અને પ્રામાણિકપણે તમારા પાપો કે જે તમને દોષીત ઠરાવે અને શરમમાં નાખે છે તેની કબૂલાત કરો?  તેમ તમે પછી આનંદ કરો છો કે તે તમારી ભક્તિને ‘માન્ય કરે છે’ અને તમને સર્વ અન્યાયથી ‘શુદ્ધ’ કરશે.  

સ્ત્રીએ પ્રમાણિકપણે પોતાની જરૂરિયાતને સ્વીકારવા દ્વારા પોતાને  ખ્રિસ્ત એક ‘મસીહા તરીકેની સમજણ તરફ દોરી ગઈ અને ઈસુ બે દિવસ રોકાયા પછી તેઓ તેને ‘વિશ્વના તારણહાર’ તરીકે સમજ્યા. કદાચ આપણે હજી પણ આ બાબતને સંપૂર્ણપણે સમજી શક્યા નથી. પરંતુ જેમ સ્વામી યોહાને લોકોને તેમના પાપને સમજીને સ્વીકારવાની જરૂરિયાત માટે તૈયાર કર્યા, તેજ રીતે આપણે કેવી રીતે ખોવાઈ ગયા છીએ તે સમજી શકીએ અને તેની પાસેથી જીવતું પાણી પીવા માટે તૈયાર થઇશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *