પ્રાચીન રાશિના તમારા લીઓ રાસી

સિંહ માટેનો લેટિન શબ્દ લીઓ છે. પ્રાચીન જન્માક્ષરોની આજની કુંડળી, તમે તમારી સિંહ કુંડળી દ્વારા પ્રેમ, સારા નસીબ, આરોગ્ય અને તમારા વ્યક્તિત્વની સમજ મેળવવા માટે જન્માક્ષરની સલાહને અનુસરો છો.

પરંતુ શું પ્રાચીન લોકોએ સિંહને આ રીતે વાંચ્યું?

તેનો મૂળ અર્થ શું હતો?

સાવધ બનો! આનો જવાબ આપવાથી તમારું જ્યોતિષ એક અણધારી રીતે ખૂલે

છે – તમે જે ધાર્યું હતું તેના કરતાં તમને કોઈ જુદી મુસાફરી પર લઈ જાય છે, પછી જ્યારે તમે તમારી કુંડળીની તપાસો …

આપણે પ્રાચીન જ્યોતિષવિદ્યા તપાસ કરી, અને પ્રાચીન જન્માક્ષરની કન્યા રાશિ થી કર્ક સુધી તપાસ કર્યા પછી, આપણે સિંહ અથવા સિંમ્હા સાથે સમાપ્ત કરીએ છીએ.

સિંહ નક્ષત્રનું જ્યોતિષશાસ્ત્ર

સિંહ રાશિ બનાવનાર તારા નક્ષત્રની આ તસવીરનું અવલોકન કરો. તમે તારાઓમાં સિંહ જેવું કંઈક જોઈ શકો છો?

સિંહ રાશિના નક્ષત્રનો ફોટો. તમે સિંહ જોઈ શકો છો?

જો આપણે સિંહ રાશિના તારાઓને લીટીઓ સાથે જોડીએ તો પણ સિંહને ‘જોવું’ મુશ્કેલ છે.

તારાઓ સાથે સિંહ નક્ષત્ર લીટીઓ દ્વારા જોડાયા અને નામ આપ્યું

અહીં રાશિચક્રના નેશનલ જિઓગ્રાફ઼િક પોસ્ટરની તસ્વીર છે કે જે ઉત્તરીય ગોળાર્ધમાં સિંહને બતાવે છે.

સિંહ રાશિ વર્તુળ કરેલ નેશનલ જિઓગ્રાફ઼િક તારાઓનો ચાર્ટ

લોકો આમાંથી સિંહ રાશીની ઓળખ પ્રથમ કેવી રીતે મેળવી? પરંતુ જ્યાં સુધી આપણે માનવ ઇતિહાસમાં જાણીએ છીએ, ત્યાં સુધી સિંહ એટલું જ પુરાતન છે.

અન્ય તમામ રાશિ નક્ષત્રોની જેમ, નક્ષત્રની અંદર સિંહની છબી સ્પષ્ટ દેખાતી નથી. ઉલટાનું, સિંહનો વિચાર પહેલા આવ્યો. પ્રથમ જ્યોતિષીઓએ પછી જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તારાઓ પરની નિશાની રૂપે આ ચિત્રને ગોઠવી દે છે. પૂર્વજો તેમના બાળકોને સિંહ નક્ષત્ર તરફ નિર્દેશ કરતા હતા કહી શકતા અને તેમને સિંહ સાથે સંકળાયેલ વાર્તા કહેતા હતા.

શા માટે? પ્રાચીન લોકોને માટે તેનો અર્થ શું હતો?

રાશિચક્ર નક્ષત્રોમાં સિંહ

અહીં સિંહની કેટલીક સામાન્ય જ્યોતિષની છબીઓ છે.

તારાઓમાં સિંહ
સિંહ તરાપ મારવા તૈયાર છે

લાલ રંગના વર્તુળમાં દર્શાવેલ સિંહની સાથે ઈજીપ્તના ડંડેરા મંદિરમાં રાશિચક્રનું નિરિક્ષણ કરો

       ઇજિપ્તની પ્રાચીન ડંડેરા રાશિચક્રમાં સિંહ

  પ્રાચીન વાર્તામાં સિંહ

આપણે જોયું  કે બાઇબલ જણાવે છે કે સર્જકે નક્ષત્રો બનાવ્યાં છે. તેમણે 12 રાશિઓ દ્વારા પોતાની વાર્તા કહેવા માટે રાશિચક્રના ચિત્રો દોર્યા. શરુઆતના માણસોએ  તેમના વંશજોને આ યોજના વિશેની સૂચના આપવાનું શીખવ્યું.

સિંહ વાર્તાની સમાપ્તિ કરે છે. તેથી જો તમે આધુનિક કુંડળીના અર્થમાં સિંહ ના  ‘નથી’, તો પણ સિંહની પ્રાચીન જ્યોતિષીય વાર્તા જાણવા જેવી છે.

સિંહનો પ્રાચીન અર્થ

જૂના કરારમાં, યાકૂબે યહૂદાના કુળની આ ભવિષ્યવાણી જણાવી

9. યહૂદા સિંહનું બચ્ચું છે; મારા દિકરા, તું શિકાર પરથી આવ્યો છે. તે સિંહની પેઠે, તથા સિંહણની પેઠે લપાઈ ગયો, તે લપાઈ ગયો. તેને કોણ ઉઠાડશે?

10. શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.

ઉત્પત્તિ 49:9-10

યાકુબે જાહેરાત કરી કે એક શાસક આવશે, એક ‘તે’ જેને સિંહ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેના શાસનમાં ‘રાષ્ટ્રો’ શામેલ હશે અને તે ઈસ્રાએલના યહુદાહના કુળમાંથી આવશે. ખ્રિસ્ત તરીકે અભિષિક્ત થયેલા ઈસુ, યહુદાહના કુળમાંથી આવ્યા. પરંતુ તેણે શાસકનો ‘રાજદંડ’ લીધો નહીં. તેમણે તે તેમના બીજા આગમન માટે બાકી રાખ્યું કે જ્યારે તે આવશે અને સિંહની જેમ રાજ કરશે. શરૂઆતના સમયથી સિંહ રાશીના આ અર્થનું ચિત્રણ કર્યું છે.

સિંહના ભાવિ ખુલાસા

આ આગમનને ધ્યાનમાં રાખીને, લખાણોમાં સિંહને પવિત્ર ઓળીયાને ખોલનાર તરીકે ઓળખે છે.

રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં  એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. 

. મેં એક બળવાન દૂતને જોયો, તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, “આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?” 

પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. 

 હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ. 

 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો  યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે  દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”

પ્રકટીકરણ 5:1-5

સિંહે તેના પહેલા આગમનના સમયે જ તેના શત્રુ પર વિજય મેળવ્યો હતો અને તેથી હવે તે સીલ ખોલવા માટે સક્ષમ છે જે આખરે પ્રવેશ પામે છે. આપણે આ પ્રાચીન રાશિચક્રમાં સિંહને તેના શત્રુ હાઇડ્રા સર્પ પર વિજય નોંધીને જોયું છે.

પ્રાચીન ડેંડેરામાં સિંહ લીઓ સર્પને કચડી રહ્યો છે
મધ્યકાલિન ચિત્રમાં સિંહ હાઇડ્રા પર ગર્જના કરે છે
નક્ષત્રોનો સ્કેચ. સિંહ સર્પનું માથું પકડશે

રાશિ વાર્તાનો નિષ્કર્ષ

સર્પ સાથે સિંહનો સંઘર્ષ તેની પાછળનો હેતુ ફક્ત તેને હરાવવાનો નહોતો, પરંતુ શાસન કરવાનો હતો. લખાણોમાં આ શબ્દો સાથે સિંહના શાસનની તસવીર છે.પછી મેં  નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં:કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે! અને સમુદ્ર હવે છે જ નહિ. 

વળી મેં  પવિત્ર નગર,  નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને  જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. 

 વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, “જુઓ,  ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, [ઈશ્વર] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. 

તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી;  તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”

રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, “જુઓ, હું બધું નવું બનાવું છું.” વળી તે કહે છે, “તું          લખ;  કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.” 

. તેમણે મને કહ્યું, “હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું.  હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. 

જે જીતે છે તેને એ [સર્વ] નો વારસો મળશે,  હું તેનો ઈશ્વર થઈશ, અને તે મારો પુત્ર થશે.

પ્રકટીકરણ 21:1-7

તેમાં મેં મંદિર જોયું નહિ, કેમ કે સર્વ શક્તિમાન પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે. 

 નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે. 

. તેમના પ્રકાશમાં [સર્વ] પ્રજાઓ ચાલશે. અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. 

 દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ. (કેમ કે ત્યાં રાત પડશે નહિ). 

તેઓ [સર્વ] પ્રજાઓનાં ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. 

જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.

પ્રકટીકરણ 21:22-27

રાશિચક્રના સંકેતો પૂરા થયા

આ દર્શનમાં, આપણે પ્રાચીન રાશિની કથાની પરિપૂર્ણતા અને પૂર્ણતા જોઈએ છીએ. આપણે કન્યા અને તેના પતિને જોઈએ છીએ; ઈશ્વર અને તેમના બાળકો – મિથુન માં બે-બાજુવાળા ચિત્રની છબી. આપણે કુંભ રાશિમાં જે વચન આપ્યું છે તેમ- પાણીની નદી જોઈએ છીએ. મૃત્યુ માટેનો જુની વ્યવસ્થા – મીન રાશિની આજુબાજુના બંધન દ્વારા ચિત્રિત – તે હવે નથી. મેષમાં એક હલવાનને ચિત્રિત કરેલું છે, અને પુનરુત્થાન પામેલા લોકો – કર્ક દ્વારા ચિત્રિત કરવામાં આવ્યા છે – જેઓ તેની સાથે રહે છે. તુલા રાશિનું ત્રાજવું હવે સંતુલિત છે કારણ કે ‘કશું અશુદ્ધ ક્યારેય પ્રવેશ કરશે નહીં’. આપણે ત્યાં તમામ રાષ્ટ્રોના રાજાઓ પણ જોઈએ છીએ, જેઓ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, ખ્રિસ્તના અધિકાર હેઠળ શાસન કરે છે કન્યા ના બીજ તરીકે શરૂ થાય છે,અને અંતે તે સિંહ તરીકે પ્રગટ થયો.

રાશિચક્રની કથામાં ખંડણી જરૂરી છે

પરંતુ, સિંહે ફક્ત શરૂઆતમાં જ શેતાન સર્પનો નાશ કેમ ન કર્યો? બધા રાશિચક્રના પ્રકરણોમાં શા માટે જવાનું? જ્યારે ઈસુએ તેના વિરોધી વૃશ્ચિક રાશિનો સામનો કર્યો ત્યારે તેણે તે જ કલાકને ચિહ્નિત કર્યો

31. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.

યોહાન 12:31

આ જગતનો રાજકુમાર શેતાન આપણો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરતો રહ્યો. સશસ્ત્ર સૈન્ય સાથેની અથડામણમાં આતંકવાદીઓ ઘણી વખત નાગરિકોનો ઉપયોગ કરીને આશરો લે છે. આ પોલીસ માટે મૂંઝવણ પેદા કરે છે કે તેઓ આતંકવાદીઓને બહાર કાઢતી વખતે નાગરિકોની હત્યા થઇ જતી હોય છે. જ્યારે શેતાન આદમને લલચાવવામાં સફળ થયો, ત્યારે તેણે પોતાના માટે માણસ ને ઢાલ બનાવ્યો. શેતાન જાણતો હતો કે ઉત્પનકર્તા સંપૂર્ણ રીતે ન્યાયી છે અને જો તેમણે પાપને સજા આપી, તો પછી, તેમના ન્યાયમાં ન્યાયી બનવા માટે, તેમણે બધાના પાપનો ન્યાય કરવો પડશે. જો ઈશ્વર શેતાનનો નાશ કરે, તો પછી શેતાન (જેનો અર્થ દોષ મુકનાર થાય છે) સીધી રીતે આપણા પોતાના ખોટા કાર્યો માટે દોષારોપણ કરી શકે છે, જેથી આપણે પણ તેની સાથે નાશ પામીએ. તેને બીજી રીતે જોઈએ તો, આપણી અનઆજ્ઞાકિંતતાએ આપણને શેતાનના કાનૂની નિયંત્રણમાં લાવી દીધા. જો ઈશ્વરે તેનો નાશ કર્યો હોત, તો તેણે આપણો પણ નાશ કરવો જોઈએ કારણ કે શેતાને આપણને દૈવી નિયમની અનઆજ્ઞાકિંતતામાં પકડ્યા.

તેથી જ આપણને શેતાનની માંગણીથી છૂટકારો મેળવવાની જરૂર હતી કે તેને જે પણ સજા આપવામાં આવે તે આપણા પર પણ આવી પડે. આપણને કોઈ પાપમાંથી મુક્તિ આપે તેની જરૂર હતી. સુવાર્તા તેને આ પ્રમાણે સમજાવે છે:

1. વળી  તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ; 

2. તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં. 

3. તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.

એફેસી 2:1-3

ક્રોસ પર ખંડણી પ્રાપ્ત કરી

મકર રાશિમાં દર્શાવવામાં આવેલા તેમના બલિદાનમાં, ઈસુએ તે કોપ પોતાના ઉપર લીધો. તેમણે ખંડણી ચૂકવી જેથી આપણે મુક્ત થઈ શકીએ

4. પણ ઈશ્વર, જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો, તેમના અત્યંત પ્રેમને લીધે, 

5. આપણે પાપમાં મૂએલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યાં (કૃપાથી તમે તારણ પામેલા છો), 

6. અને સાથે ઉઠાડયા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડયા. 

7. જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે

7 જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે. 

8 કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. 

9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે. 

એફેસી 2:4-9

ઈશ્વરે લોકો માટે ન્યાય ચુકવવાનો ઇરાદો રાખ્યો ન હતો. તેમણે તે બાબતને તેમના વિરોધી શેતાન માટે તૈયાર કર્યો (શેતાન એટલે ‘વિરોધી’). પરંતુ જો તેમણે શેતાનનો તેના વિદ્રોહ માટે નાશ કર્યો તો પછી તેમણે અન્ય દોષિત  લોકો માટે પણ આવું જ કરવું જોઈએ.

41. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.

માથ્થી 25:41

તેથી જ ઈસુએ વધસ્તંભ પર મોટો વિજય મેળવ્યો. શેતાનના આપણા ઉપરના કાનૂની અધિકારથી તેમણે આપણને છૂટા કર્યા. હવે તે આપણા પર પ્રહાર કર્યા  વિના પણ શેતાન પર પ્રહાર કરી શકે છે. પરંતુ આપણે શેતાનના આધિપત્યમાંથી આ રીતે છટકી જવાનું પસંદ કરવું જોઈએ. સિંહ હાલમાં સાપ પર ત્રાટકતાં અટકી રહ્યો છે જેથી લોકો તે ચૂકાદાથી  છટકો મેળવે.

9 વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.

2 પિતર 3:9

આ જ કારણ છે કે આપણે પોતાને આજે પણ ધનુરાશિમાં દર્શાવવામાં આવેલા શેતાન સામેના અંતિમ હુમલાની રાહ જોઈ રહ્યા છીએ, અને હજી પણ વૃષભ માં દર્શાવવામાં આવેલા અંતિમ ચુકાદાની રાહ જોઈએ છીએ. પણ લખાણો આપણને ચેતવણી આપે છે.

10. પણ  જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.

2 પિતર 3:10

સિંહ રાશિ કુંડળી

જન્માક્ષર ગ્રીક ‘હોરો’ (કલાક) માંથી આવે છે અને તેનો અર્થ છે ખાસ કલાકો અથવા સમયની નિશાની (સ્કોપસ). લખાણો નીચે પ્રમાણે લીઓ કલાક (હોરો) ને ચિહ્નિત કરે છે

11. સમય ઓળખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ચૂકયો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડયો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે.

રોમનોને પત્ર 13:11

આ ઘોષણા કરે છે કે આપણે આગ લાગેલ મકાનમાં સૂતેલા લોકો જેવા છીએ. આ સમયે (હોરો) આપણે જાગવાની જરૂર છે!

કેમ?

કારણ કે જ્યારે ગર્જના કરતો સિંહ આવે છે ત્યારે તે પ્રાચીન સર્પ અને તેના કાનૂની અધિકારમાં રહેલા બધા પર ત્રાટકશે અને તેમનો નાશ કરશે. વિનાશ આપણી સામે જુએ છે.

તમારુ સિંહ રાશિ વાંચન

 તમે સિંહ જન્માક્ષર વાંચનને આ રીતે લાગુ કરી શકો છો સિંહ તમને કહે છે કે હા, ત્યાં એવા મશ્કરી કરનારાઓ છે જેઓ મશ્કરી કરે છે અને પોતાની દુ:વાસનાઓ અનુસરે છે. તેઓ કહે છે, “તે ક્યાં આવે છે” જેણે વચન આપ્યું હતું? આપણા પૂર્વજો મૃત્યુ પામ્યા ત્યારથી, સર્જનની શરૂઆતથી જ જે ચાલે છે તેમજ બધું ચાલે છે.” પરંતુ તેઓ જાણી જોઈને ભૂલી ગયા છે કે ઈશ્વર આ જગતનો ન્યાય કરશે અને તેની દરેક વસ્તુનો નાશ કરશે.

જ્યારથી આ રીતે બધું નાશ પામશે, તેથી તમારે કેવા વ્યક્તિ હોવું જોઈએ?

તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ કારણ કે તમે ઈશ્વરના ઝડપથી આવવાના દિવસની રાહ જોઈ રહ્યા છો. તે દિવસે આકાશો અગ્નિથી નાશ પામશે, અને અગ્નિથી તત્વો ઓગળશે. પરંતુ તેમના વચન અનુસાર તમારે નવા આકાશ અને નવી પૃથ્વીની રાહ જોવાની જરૂર છે, જ્યાં ન્યાયીપણું સ્થાન લેશે. તેથી જ્યારે તમે તેની રાહ જોઈ રહ્યા છો, તેથી તમે નિષ્ક્લંક, નિર્દોષ અને તેની સાથે શાંતિમાં રહેવાને માટે શક્ય તે બધા પ્રયત્ન કરો. મનમાં ખ્યાલ રાખો કે આપણા ઈશ્વરની ધીરજનો અર્થ છે આપણા અને આપણી આસપાસના લોકોને તારણ મળે. તમને અગાઉથી ચેતવણી આપવામાં આવી હોવાથી,સાવચેત રહો, જેથી તમે અધર્મની ભૂલથી છેતરાઈ ન જાઓ અને તમારી સુરક્ષિત સ્થિતિથી નીચે પડશો નહીં.

અહીં જાણો પ્રાચીન જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રનો આધાર. કન્યા રાશિમાં તેની શરૂઆતથી જ વાંચો.

સિંહમાં રાશિમાં ઊંડા ઉતરવું

પરંતુ સિંહ રાશિની લેખિત વાર્તામાં ઊંડાણપૂર્વક જવા માટે:

પુસ્તક તરીકે રાશિચક્રના પીડીએફ ડાઉનલોડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *